________________
પ્રવચન : ૧૪
મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મીબંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. શ્રદ્ધાવાન ગૃહસ્થ વ્રતપાલનની પોતાની ક્ષમતાનો વિચાર કરીને સદ્ગુરુની પાસે જઈને વિધિપૂર્વક વ્રત અંગીકાર કરે છે.
તમને ત્રણ વ્રતો અને તેમના અતિચારો બતાવ્યા; હવે ચોથું અણુવ્રત બતાવું છું. ચોથું અણુવ્રત તમે આ રીતે લઈ શકો છો.
પર સ્ત્રી (૫૨ પુરુષ) સાથે કાયાથી મૈથુન-ત્યાગ કરું છું. સ્વ સ્ત્રી (સ્વ પતિ) સાથે દિવસના બ્રહ્મચર્યનું પાલન કરીશ. રાત્રિમાં પણ મર્યાદા કરું છું કે મહિનામાં અમુક રાત બ્રહ્મચર્યનું પાલન કરીશ.
બેહોશ અવસ્થામાં કદાચ મન-વચન-કાયાથી સંભોગ યા સ્પર્શ થઈ જાય તેની જયણા-અપવાદ-રાખું છું. કોઇ કાર્યવશ સ્પર્શ કરવો પડે તેની જયણા રાખું છું. તેમાં મૈથુનની ભાવના રાખીશ નહીં. સ્વપ્રદોષ થઈ જાય તેની જયણા રાખું છું.
ચૈત્ર અને આસો મહિનાની શાશ્વત ઓળીના ૧૮ દિવસો તથા પર્યુષણના ૮ દિવસો અવશ્ય બ્રહ્મચર્યનું પાલન કરીશ. કાર્તિક, ફાગણ અને અષાઢ ચોમાસાની ત્રણ અઠ્ઠાઈઓમાં પણ યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન કરીશ. બીભત્સ ગાળો નહીં બોલું.
ચોથું અણુવ્રત લેવાનો આ પ્રકાર છે. બીજી રીતે પણ વ્રત લઈ શકો છો - અનેક પ્રકારો છે વ્રત લેવાના.
મનુષ્ય જીવનની સાર્થકતા ક્યારે ?
એક વાત યાદ રાખો કે સંયમથી જ જીવનની સાર્થકતા છે. સંયમમય જીવનનો અપૂર્વ મહિમા છે. જીવનને સંયમમય બનાવવા માટે ત્રણ પ્રકારનો સંયમ અપેક્ષિત છે.
૧. ઇન્દ્રિય સંયમ ૨. મનઃસંયમ ૩. આત્મસંયમ. પાંચ ઇન્દ્રિયો ઉપર સંયમ હોવો સૌથી પ્રથમ આવશ્યકતા છે. અશુભ સાથે, ખરાબ સાથે ઇન્દ્રિયોનો સંયોગ ન થવા દેવો એને ઇન્દ્રિય સંયમ કહેવામાં આવે છે.
પાંચ ઇન્દ્રિયો છે. એમાં પાંચમી ઈન્દ્રિય છે સ્પર્શેન્દ્રિય. જેવી રીતે કાન મધુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org