________________
ભાગ ૧
૧૩૭
પ. પાપકર્મનું બંધન હોય છે. નિકાચિત કર્મબંધન પણ થઈ જાય છે. ચોરી સાથે જો હિંસાચાર કરે તો પ્રાયઃ નરકમાં જવાનાં કર્મ બાંધી લે છે.
૬. જે હાથો વડે માણસ ચોરી કરે છે, જે અંગ-ઉપાંગો ચોરીના કામમાં લે છે તે અંગ-ઉપાંગો આવતા જન્મમાં તેને મળતાં નથી.
અનેક દુઃખોથી જો બચવું હોય તો ચોરીનું પાપકર્મ કદી ન કરો. ભલે દુઃખમાં જીવવું પડે, ગરીબીમાં જિંદગી વીતાવવી પડે; પરંતુ કદી ચોરી ન કરવી. અણુવ્રતનું પાલન કરીને જીવન સફળ બનાવો, એ જ મંગલ કામના. આજ બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org