SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રાવક જીવન ચોરી કરવાનાં પ્રયોજનો સભામાંથી ચોરી કરવાના વિચારો જ કેમ આવે છે? મહારાજશ્રી ચોરી કરવાનાં અનેક પ્રયોજનો હોય છે. પ્રથમ પ્રયોજન છે આજીવિકાનો અભાવ. અતિ પ્રયત્ન કરવા છતાં પરિવારની અનિવાર્ય આવશ્યક્તાઓ પૂર્ણ ન થતી હોય, પરિવારના સભ્યોને પર્યાપ્ત ભોજન ના મળતું હોય, પૂરતાં વસ્ત્રો ન મળતાં હોય......રહેવા ઘર ન મળતું હોય, પ્રામાણિકતાથી વેપાર કરવા છતાં પૈસા મળતા ન હોય, ત્યારે મનુષ્ય પ્રાયઃ ચોરી કરવાનો વિચાર કરે છે. બીજું પ્રયોજન છે શ્રીમંત બનવાની ખેવના-ઈચ્છા. જે માણસ શ્રીમંતને સુખી માને છે, તે શ્રીમંત બનવાની ઈચ્છા કરે છે. પ્રામાણિક વ્યવસાય કરવાથી શ્રીમંત થવાતું નથી. પરિણામે તે ચોરી કરવા તૈયાર થાય છે. ત્રીજું કારણ છે ચોરો સાથે મિત્રતા! મિત્ર ચોર હોય તો માણસ પ્રયોજન વગર પણ ચોરી કરવા લાગે છે. કેટલીક ચોરીઓમાં ધનવાન છોકરાઓ પણ પકડાય છે ! ચોથું કારણ છે એવી ફિલ્મો જોવી. ફિલ્મ જોઈને ધાડ પાડવાની, લૂંટ કરવાની પ્રેરણા પામનારાઓના અનેક કિસ્સાઓ નોંધાય છે. અંગ્રેજોના શાસનકાળમાં મુંબઈની લોર્સ બેંક લૂંટનારા એક ૨૦-૨૧ વર્ષના છોકરાએ કબૂલ્યું હતું કે એક સિનેમા જોઈને મેં બેંક લૂંટવા માટે યોજના બનાવી હતી. એટલા માટે તમને લોકોને હું વારંવાર કહું છું કે ફિલ્મો ન જુઓ. સારી, સંસ્કારપ્રેરક ફિલ્મો ખૂબ જ ઓછી બને છે. કારણ કે સારી ફિલ્મોનો વેપાર-ધંધો સારો ચાલતો નથી ને! પ્રજાનું ગમે તે થાઓ, પરંતુ ફિલ્મ બનાવનારા તો પૈસા કમાવા માટે જ ફિલ્મ બનાવે છે. ચોરીનું મૂળ કારણઃ ધનપ્રાપ્તિ ! ચોરીનાં અનેક કારણો બતાવ્યાં, પરંતુ મૂળ કારણ હોય છે ધનપ્રાપ્તિનું. ધનલોભ ચોરી કરાવે છે. ધનલોભ ન હોય તો માણસ પોતાના વેપાર-ધંધામાં પ્રામાણિક રહી શકે છે. દગો ફટકો નહીં કરે. બંગાળની એક ઘટના છે. કૃષ્ણપાંતી ચૌધરી સારા વેપારી હતા. તેઓ મીઠાના મોટા વેપારી હતા. મીઠાના ધંધામાં લાખો રૂપિયા કમાતા હતા. એક દિવસે એક વેપારી તેમની પેઢી ઉપર આવ્યો. તેણે કૃષ્ણપાંતી ચૌધરી સાથે કેટલાક હજાર મણ મીઠાનો સોદો કર્યો. થોડા રૂપિયા પણ આપ્યા અને કહ્યું: "કેટલાક દિવસો પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy