SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૧ ૧૩૩ સભામાંથી? જી હા, એવું જોવામાં આવે છે. મહારાજશ્રી ઃ જોવામાં દોષ છે. ધનપ્રાપ્તિ થાય છે “લાભાંતરાયકર્મ ના ક્ષયોપશમથી ! અનીતિ, અન્યાય અને બેઈમાની કરવાથી લાભાન્તરાયકર્મ બંધાય છે. એક તો મનુષ્યનો લાભાન્તરાય કમનો ક્ષયોપશમ થાય અને તે બેઈમાની કરે છે તો એને અર્થલાભ જરૂર થાય છે, પરંતુ તે એવું પાપકર્મ બાંધે છે કે ભવિષ્યમાં લાખ ઉપાય કરવા છતાં પણ અર્થલાભ નહીં થાય. જો અનીતિ-અન્યાય-બેઈમાની કરવાથી ધનપ્રાપ્તિ થતી હોય તો દુનિયામાં ધનવાન લોકો વધારે હોત. કારણ કે અનીતિ, અન્યાય, બેઈમાની કરનારાઓની સંખ્યા વધારે છે ! વિશ્વમાં ગરીબો વધારે છે, ધનવાનો ઓછા છે, કારણ કે વિશ્વમાં ન્યાય-નીતિનું પાલન કરનારા ઈમાનદાર લોકો ઓછા હોય છે. જ્યારે દુનિયામાં ન્યાય-નીતિનું પાલન કરનારાઓ વધશે, ઈમાનદાર લોકો વધશે ત્યારે દુનિયામાં ધનવાનો પણ વધશે. ચોરી ન કરવાનો ઉપદેશ આપનારાઓની આ જ્ઞાનદ્રષ્ટિ હતી. તેઓ કાર્યકારણ ભાવના જ્ઞાતા મહાપુરુષો હતા. ચોરી કરવાથી લાભાન્તરાય” નામનું પાપકર્મ બંધાય છે. જ્યારે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે જીવ નિધન બને છે. સુખનાં સાધનોની પ્રાપ્તિ પ્રયત્ન કરવા છતાં પણ થતી નથી. આ છે કાર્યકારણ ભાવ ! ચોરી કરવાનો વિચાર પણ ન કરો : એટલા માટે હું કહું છું કે તમે ચોરી કરવાનો વિચાર પણ ન કરો. કોઈ પણ માણસને ચોરી કરીને લાખો રૂપિયા કમાતો જોઈને, તમે ચોરી કરીને લાખો રૂપિયા કમાવાનો વિચાર ન કરો. પરંતુ વિચારો કે "આ માણસે પૂર્વજન્મમાં ન્યાય-નીતિ અને પ્રામાણિકતાનું પાલન કર્યું હશે, સાધુપુરુષોને દાન આપ્યું હશે, દીનદુઃખીની સેવા કરી હશે, એટલે જ આ જન્મમાં અહીં તેને લાખો રૂપિયા મળ્યા છે. પરંતુ આ જન્મમાં તે અન્યાય, અનીતિ અને બેઈમાની કરી રહ્યો છે, તેથી આગામી જન્મમાં તે નિધન બનશે; ગરીબના ઘરે જન્મશે અને આજીવન ગરીબ રહેશે.” આ સિદ્ધાંતને સારી રીતે સમજી લો, અને મનથી પણ ચોરીનો વિચાર ન કરો. મનમાં ચોરીનો વિચાર કરવાથી, ચોરીની યોજના કરવાથી, પાપકર્મોનું બંધન થાય છે. નિરર્થક પાપકર્મ શા માટે બાંધવાં ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy