________________
શ્રાવક જીવન
ગોવાલણે કહ્યું : “શેઠજી, આપે મને જેટલા ચોખા આપ્યા હતા, તેટલું મેં તમને ઘી આપ્યું; મેં તો તમારા જ ચોખાથી ઘી જોખ્યું છે.” શેઠ પોતાની ચોરી સમજી ગયા. જે સમયે વસ્તુના બદલામાં વસ્તુની આપ – લે થતી હતી તે સમયે આવા પ્રકારની ચોરી મોટે ભાગે થતી હતી. મનુષ્યનું મન જ આવું છે. વધારે લેવામાં અને ઓછું આપવામાં તે ખુશ થાય છે. અણુવ્રતધારીને આ જગાએ સાવધાન કરવામાં આવે છે.
૧૩૨
આ રીતે પૂરું મૂલ્ય લઈને માલ ઓછો આપવો એ પણ એક પ્રકારની ચોરી છે. કેટલાંક દૃષ્ટાંતોથી આ સમજાવું.
૧. પચાસ રૂપિયે મિટરનું કાપડ છે, રૂપિયા પૂરા પચાસ લઈ લો છો અને કપડું પૂરું નથી આપતા. ઓછું આપો છો.
૨. પાંચ રૂપિયે કિલો ખાંડ છે; તમે પાંચ રૂપિયા લો છો, અને ખાંડ કિલો કરતાં ઓછી આપો છો.
૩. પચાસ રૂપિયે કિલો ઘીનો ભાવ છે; પચાસ રૂપિયા લઈ લો છો અને ઘી કિલો કરતાં ઓછું આપો છો.
આ બધું જ ચોરી છે. મોટે ભાગે કપટપટુ વેપારી જ આવી ચોરી કરે છે, અને મોટે ભાગે અભણ લોકો જ એમાં ફસાય છે. જે ગામમાં અજ્ઞાની, આદિવાસી....ભીલ વસે છે, અને જ્યાં એકાદ-બે વેપારી હોય છે; ત્યાં આ પ્રકારની ચોરી થાય છે.
૫. વેપારમાં દગાબાજી ન કરો.
જે વેપારીઓ ન્યાય-નીતિ અને પ્રામાણિકતાના પક્ષપાતી નથી હોતા, તેઓ દગાબાજી કરે છે. સેળભેળ કરે છે. સાકરને બદલે કાંકરા ભરીને રવાના કરે છે. ખાદ્ય પદાર્થોમાં કેવી રીતે મિલાવટ થાય છે તે તમે નથી જાણતા ? ઘીને બદલે ‘મટનટેલો’ નો ઉપયોગ કેટલો વ્યાપક થઈ ગયો છે ? શુદ્ધ ઘી કેટલું દુર્લભ થઈ ગયું છું ?
કાપડમાં અનીતિ નથી થતી ? કાપડ હોય સુરતનું અને સિક્કો લગાવે જાપાનનો ! આવું થાય છે ને ? સ્વદેશી માલ ઉપર પરદેશી સિક્કો લગાવીને માલ વેચે છે ને ? આવું કેમ કરવામાં આવે છે ? શ્રીમંત બનવા માટે જ ને ? શું અનીતિ ક૨વાથી, દગોફટકો ક૨વાથી, માણસ ધનવાન બની જાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org