________________
ભાગ
-
એટલા માટે ચોરીનો માલ લેવો જ ન જોઈએ. એ વેપારથી અણુવ્રતધારીએ દૂર રહેવું જોઈએ.
૧૩૧
૩. શત્રુ-દેશમાં ન જવું જોઈએ ઃ
ત્રીજી વાત છે શત્રુ દેશમાં જવા અંગેની. જે દેશમાં જવાનો નિષેધ હોય, રાજ્ય તરફથી નિષેધ હોય, તે દેશમાં જવું ન જોઈએ. જેમ કે વર્તમાન કાળમાં તમારે કોઈપણ દેશમાં જવું હોય તો પોતાના દેશની પરમીશન લેવી પડે છે. અમેરિકા જવું હોય, ગ્રેટ બ્રિટન જવું હોય, ફ્રાન્સ યા પાકિસ્તાન જવું હોય તો તમારે વીસા” લેવો પડે છે. વીસા વગર જાઓ તો બીજા દેશવાળા પ્રવેશવા જ નહીં દે ! એરોડ્રોમથી જ પાછા મોકલી દેશે ! અને કદાચ કોઈ પ્રવેશી જાય તો પકડાઈ જતાં દંડ થાય છે. જેલમાં પૂરી દેવામાં આવે છે. "ચોરી”નો આરોપ આવે છે.
માલિકની આજ્ઞા વગર તેનું કંઈ પણ લેવું, તેના ઘરમાં, દેશમાં પ્રવેશ કરવો એ પણ એક પ્રકારની ચોરી જ માનવામાં આવે છે. છતાં પણ દુનિયામાં “વગર રજાએ પરરાજ્ય પ્રવેશ” ને ચોરી કહેવામાં આવતી નથી. એ અપેક્ષાએ અતિચાર કહેવામાં આવે છે. અન્યથા વ્રતભંગ જ થાય છે.
આન્ત૨રાષ્ટ્રીય દાણચોરી કરનારા લોકો મોટે ભાગે ૫૨૨ાષ્ટ્રમાં વગર રજાએ જ આવતા-જતા હોય છે. અણુવ્રત ધારીએ એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. એવા ધંધા ન કરવા જોઈએ.
૪. આપ-લેમાં ઓછું વત્તું ન કરવું જોઈએ ઃ
આપ લે માં પણ ચોરી ન કરવી જોઈએ. વધારે લેવું અને ઓછું આપવું એ પણ એક પ્રકારની ચોરી જ છે.
પ્રાચીન સમયની એક બોધપ્રદ વાર્તા છે. એક ગામ હતું; એ ગામમાં એક ધનવાન શેઠ રહેતા હતા. દુકાન હતી. વેપાર ચાલતો હતો. એક ગોવાલણ શેઠને ત્યાં દૂધ આપતી હતી. એક દિવસે ગોવાલણે શેઠની દુકાનેથી એક શેર ચોખા લીધા. શેઠે બે અધોળ ચોખા ઓછા આપ્યા. ગોવાલણ ચાલી તો શેઠાણીએ એને એક શેર ઘી લાવવાનું કહ્યું. ગોવાલણ ઘેર પહોંચી. ગોવાલણે એક ત્રાજવામાં શેઠની દુકાનેથી લાવેલા ચોખા મૂક્યા અને ચોખાથી ઘી જોખી લીધું. જઈને શેઠાણીને આપી દીધું. શેઠાણીએ શેઠને કહ્યું : "મેં એક શેર ઘી મંગાવ્યું છે.” શેઠે ઘી જોખ્યું તો બે અધોળ ઓછું નીકળ્યું. ગોવાલણ ત્યાં જ ઊભી હતી ; શેઠે તેને કહ્યું “કેમ આમ, ઘી બે અધોળ ઓછું કેમ ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org