________________
પ્રવચન : ૧૩
મહાન મૃતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ સ્વરચિત "ધર્મબિંદુ” ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ પ્રતિપાદિત કર્યો છે. શ્રદ્ધાવાન ગૃહસ્થ વ્રતપાલનમાં પોતાની ક્ષમતાને લક્ષ્યમાં લઈને સદ્દગુરુની પાસે બાર વ્રત અંગીકાર કરે છે.
પ્રથમ અને દ્વિતીય વ્રત અને તેમના અતિચાર આપ સૌને બતાવ્યા, હવે ત્રીજું વ્રત જણાવું છું.
ત્રીજું અણુવ્રત આ રીતે લઈ શકો છો ? ત્રીજા વ્રતની પ્રતિજ્ઞા :
બીજા માણસના ખીસામાંથી પૈસા વગેરે નહીં લઉં, ખીસું કાપીશ નહીં. ચોરીની ભાવનાથી બીજાના ઘરમાં પ્રવેશ કરીશ નહીં. ચોરીની ભાવનાથી તાળું તોડીશ નહીં, ધાડ નહીં પાડું. કોઈનીય નીચે પડેલી વસ્તુ લઈશ નહીં. બીજાના ખેતરમાં રસ્તો નહીં પાડું. કરચોરી નહીં કરું અને રાજ્યનિષિદ્ધ વેપાર નહીં કરું.
ઘરની વસ્તુ માતા-પિતાની આજ્ઞા વગર લઈ શકું છું. મિત્ર, ભાઈ વગેરે સ્નેહીસ્વજનની વસ્તુ તેમને પૂછ્યા વગર લઈ શકું છું, જોઈ શકું છું. સ્વ મકાનમાંથી યા ભાડાના મકાનમાંથી કોઈ સંપત્તિ મળી જાય તો તે સંપત્તિ હું લઈ શકું છું. કોઈની ખોવાયેલી વસ્તુ મારા હાથમાં આવે તો તેના માલિકનો નિર્ણય કરીને તે તેને પરત કરીશ. આ સર્વ વાતોમાં ચોરીની ભાવના નહીં રાખું.
આ રીતે તમે વ્રત ગ્રહણ કરી શકો છો. વ્રત ધારણ કર્યા પછી પાંચ સાવધાનીઓ રાખવાની હોય છે, નહીંતર વ્રતને દોષ લાગે છે. __ स्तेनप्रयोग-तदाहृतादान-विरुद्धराज्यातिक्रम
- હીનમાનોન્માન-પ્રતિપાપા | આ પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. ૧. બીજા પાસે ચોરી કરાવવી, ૨. ચોર દ્વારા લાવવામાં આવેલી વસ્તુ લેવી. ૩. શત્રુ રાજાના દેશમાં પ્રવેશ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org