________________
૧૨૬
માર્ગ લીધો ન હતો.
એક દિવસે ગામનો જમીનદાર તેમની પાસે આવ્યો. ખુદીરામે તેનો યોગ્ય સત્કાર કર્યો અને પૂછ્યું : "આજ આપને મારી પાસે કેમ આવવું પડ્યું ?”
"સાંભળો ખુદીરામ, મેં એક ખેડૂત ઉ૫૨ કોર્ટમાં કેસ કર્યો છે; તે ખેડૂતે કોર્ટમાં કહ્યું છે કે ખુદીરામ જે ન્યાય આપશે તે હું માન્ય કરીશ.”
"ઠીક છે, હું ન્યાય આપીશ.” ખુદીરામે કહ્યું.
શ્રાવક જીવન
“તમારે મારા પક્ષમાં ન્યાય આપવાનો છે; અને સમજી વિચારીને તમે કામ કરશો તો હું તમને ખૂબ પૈસા આપીશ”
"હું ન્યાય વેચવા ઈચ્છતો નથી.....” ખુદીરામે દૃઢતાપૂર્વક કહ્યું.
“તો તમારે ગામ છોડવાનો વારો પણ આવી શકે.” જમીનદારે ધાકધામકીની ભાષામાં કહ્યું. ખુદીરામ મૌન રહ્યા. તેમણે વિચાર કર્યો.
જ્યાં ગામનો માલિક અન્યાય-અનીતિ કરતો હોય, પોતાની જ પ્રજાને લૂંટવાની ઈચ્છાવાળો હોય એવા ગામમાં મારે ન રહેવું જોઈએ.” ખુદીરામે બીજે જ દિવસે પરિવાર સાથે ગામ છોડી દીધું.
ન્યાયાધીશ સત્યવાદીનું મૂલ્યાંકન કરે છે ઃ
જે જીવનભર સત્યની આરાધના કરે છે, તેની વિશ્વમાં પ્રતિષ્ઠા વિસ્તરે જ છે. ગ્રીસ દેશમાં પણ આવો એક સત્યવાદી થઈ ગયો. તેનું નામ હતું "જેનોક્રિટિસ.
蕁
જેનોક્રિટિસ ગ્રીસનો પ્રસિદ્ધ તત્ત્વચિંતક હતો, પરંતુ એની જેટલી પ્રતિષ્ઠા તત્ત્વચિંતક તરીકે હતી તેના કરતાં વધુ પ્રતિષ્ઠા ‘સત્યવાદી' તરીકે હતી. "જેનોક્રિટિસ કદી અસત્ય બોલે જ નહીં એવી એની પ્રસિદ્ધિ હતી.
એક દિવસે જેનોક્રિટિસને કોર્ટમાં જવું પડ્યું. સાક્ષી આપવાની હતી. તે સાક્ષીના પાંજરામાં ઊભો રહ્યો. કોર્ટની પરંપરા અનુસાર "હું અસત્ય નહીં બોલું." એવી પ્રતિજ્ઞા લેવા માટે હાથમાં ધર્મપુસ્તક લેવું પડે છે. જેનોક્રિટિસે જેવું પુસ્તક હાથમાં લીધું તો ન્યાયાધીશે કહ્યું : "આદરણીય જેનોક્રિટિસ ! આપે ધર્મપુસ્તક હાથમાં લઈને પ્રતિજ્ઞા કરવાની આવશ્યકતા નથી. આપ જે બોલશો તે સત્ય જ હશે એવો મારો દૃઢ વિશ્વાસ છે. કોઈક વાર સૂર્ય પશ્ચિમમાં ઊગી શકે, પરંતુ આપ અસત્ય નહીં બોલો; એટલા માટે આવી પ્રતિજ્ઞા વગર આપે સાક્ષી આપવી હોય તો આપી શકશો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org