________________
ભાગ - ૧
૧૨૫ કોઈ જીવનું મૃત્યુ થાય કે કોઈ જીવને મોટું કષ્ટ પહોંચે...એક બે ઉદાહરણો ઉપરથી આ વાત સમજાવું છું -
તમે ચાર રસ્તા પડે ત્યાં ઊભા છો, ત્યાંથી એક દોડતો માણસ પૂર્વ દિશામાં ચાલ્યો ગયો. તે પછી તરત જ ચાર પાંચ માણસો દોડતા આવ્યા..ને તમને પૂછ્યું......."એક આદમી હાથમાં બેગ લઈને દોડતો અહીંથી ગયો? તમે એને જોયો? તમે આ માણસોના હાથમાં શસ્ત્રો જોયાં; તમારે અહીં મૌન રહેવું જોઈએ અથવા પશ્ચિમ દિશા દેખાડી દેવી જોઈએ.
એ રીતે તમારી સામેથી એક દોડતો બકરો પાસેની ગલીમાં ચાલ્યો ગયો ! તેની પાછળ તરત જ એક કસાઈ આવ્યો. તેણે તમને પૂછ્યું: “અહીંથી જતા બકરાને જોયો તમે ?” તમારે કાં તો મૌન રહેવું જોઈએ અથવા બીજી જ ગલી બતાવવી જોઈએ, બકરો ગયો તે ગલી ન બતાવવી જોઈએ.
અથવા નૈતિક તાકાત હોય તો કહી દેવું જોઈએ કે "હું જાણું છું, પણ બતાવીશ નહીં.”
આવી નૈતિક તાકાતવાળા લોકો પણ આ દુનિયામાં છે. બંગાળાના એક તત્ત્વજ્ઞાની પુરુષ હતા. તેમનું નામ હતું પરંબા મિત્રા. ત્યાંના બ્રાહ્મો સમાજના તેઓ ચુસ્ત અનુયાયી હતા. નીતિપરાયણ અને સદાચારી હતા, તેઓ કદી અસત્ય બોલતા ન હતા. "સત્ય જ પરમેશ્વર છે” એવી એમને શ્રદ્ધા હતી. એક વાર રસ્તા ઉપરથી જતા હતા અને એક શરાબી મળ્યો: શરાબીએ તેમને પૂછ્યું "સ્ટાર સિનેમા
ક્યાં આવ્યું? જલદી બતાવ.” મિત્રાજીએ એના હાવભાવ જોયા, એનાથી છૂટવા તરત જ કહી દીધું કે મને ખબર નથી.” અને આગળ ચાલ્યા.
વીસ-પચીસ ડગલાં આગળ ગયા પછી તેમણે મનમાં વિચાર કર્યો: "સ્ટાર સિનેમા કયાં આવ્યું તેની મને ખબર છે, છતાં મેં કહ્યું કે “મને ખબર નથી ?' હું અસત્ય બોલ્યો. “તેઓ પાછા આવ્યા. પેલો શરાબી ત્યાં જ ઊભો હતો. મિત્રાજીએ. તેને કહ્યું: “સ્ટાર સિનેમાં ક્યાં આવ્યું તે હું જાણું છું પણ તને બતાવીશ નહીં.” પેલો શરાબી તો જોતો જ રહ્યો અને મિત્રાજી ચાલતા થયા. સત્ય પાલન માટે ગામ છોડી દીધું
બીજી એક ઘટના સંભળાવું છું – રામકૃષ્ણ પરમહંસના પિતાજીની. તેમનું નામ હતું ખુદીરામ ચટ્ટોપાધ્યાય. તેઓ સાધુચરિત પુરુષ હતા. આખાય ગામમાં તેમની નીતિમત્તાની પ્રશંસા થતી હતી. કદી પણ તેમણે નીતિનો માર્ગ છોડીને અનીતિનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org