SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રાવક જીવન અસત્યનો તો ત્યાગ કરવાનો જ છે. સભામાંથી - અમારા જેવા લોકો માટે ખૂબ કપરું છે ! મહારાજશ્રી - પ્રયત્ન કરવો જોઈએ. ભલે તમે બધે જ અસત્યનો ત્યાગ ન કરી શકો પણ કેટલીક વ્યક્તિઓની સામે તમે જૂઠું ન બોલો જેમ કે - ૧. સાધુ પુરુષો સામે અસત્ય નહીં બોલું, ૨. માતા-પિતા સામે અસત્ય નહીં બોલું, ૩. મિત્રની સાથે અસત્ય નહીં બોલું. ૪. પત્ની સાથે.................... સભામાંથીઃ અશક્ય છે, પત્નીની સાથે તો અસત્ય બોલવું જ પડે છે ! મહારાજશ્રી તો શું તમારો ઘરસંસાર અસત્યથી જ ચાલે છે? તમારી પત્ની પણ તમારી સાથે અસત્ય જ બોલતી હશે; તો પછી તમારા સંતોનો શું કરશે? અભ્યાસના રૂપે કેટલીક વ્યક્તિઓની સમક્ષ અસત્ય ન બોલવાનો સંકલ્પ કરવો જોઈએ. તેવી રીતે કેટલાંક સ્થાનોમાં પણ અસત્ય ન બોલવાનો સંકલ્પ કરવો જોઈએ. જેમ કે - ૧. મંદિરમાં અસત્ય નહીં બોલું, ૨. ધર્મસ્થાનમાં અસત્ય નહીં બોલું. ૩. દુકાનમાં અસત્ય નહીં બોલું....અથવા ઘરમાં અસત્ય નહીં બોલું. સમયની દ્રષ્ટિએ પણ અસત્યનો ત્યાગ કરી શકો છો. ૧. સવારે નવ વાગ્યા સુધી અસત્ય નહીં બોલું. ૨. બપોરે એક થી ત્રણ વાગ્યા સુધી અસત્ય નહીં બોલું. ૩. સાંજના ૬ થી ૯ વાગ્યા સુધી અસત્ય નહીં બોલું. ૪. રાત્રિના સમયે ૧૦ થી ૧૨ સુધી. આમાંથી જેટલું પણ થઈ શકે એને માટે સંકલ્પ કરી શકો છો. સત્ય બોલવામાં વિવેક જોઈએ ? જેમ અસત્ય બોલવાનું નથી, તે જ રીતે એવું સત્ય પણ બોલવાનું નથી કે જેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy