________________
ભાગ
૧૨૩
કામે. પરંતુ પાછળથી તેણે ચિંતનને એ ધંધો છોડી દેવા ખૂબ સમજાવ્યો. ચિંતને ન માન્યું. એ એવી ટોળી સાથે હતો કે તે છૂટી શકે તેમ ન હતું; અને છૂટવાનો પ્રયત્ન કરે તો મોત નિશ્ચિત હતું.
-
૧
ચિંતનને સમજાવ્યા છતાં માનતો નથી ત્યારે મંથન વિચાર કરે છે : “હું આ વાત ચિંતનના પિતાને કહું તો ? મારે આ વાત તેમને જણાવી દેવી જોઈએ અને નહીં જણાવું તો જ્યારે તેમને ખબર પડશે કે ચિંતન દાણચોરીનો ધંધો કરે છે' તો તેઓ મને પણ માફ નહીં કરે. બીજી વાત, પિતાના સમજાવ્યાથી કદાચ તે માની જાય અને ખરાબ ધંધો છોડી દે."
એક દિવસે મંથને ચિંતનના પિતાને આ વાત જણાવી દીધી. ચિંતનના પિતા ખૂબ જ દુઃખી થયા. તેમણે ચિંતનને પૂછ્યું. ચિંતન સમજી ગયો કે મંથને જ પિતાને વાત કરી છે; તેના મનમાં મંથન પ્રત્યે અવિશ્વાસ થઈ ગયોઃ "આ તો એક દિવસ પોલીસ બોલાવીને મને પણ સોંપી દે !”
તેણે મંથનનો સાથ છોડી દીધો.....એક દિવસે મંથનનું અપહરણ થઈ ગયું. આજના દિવસ સુધી પત્તો લાગ્યો નથી કે મંથન ક્યાં છે ?
ખેર, આવી તો ઘટનાઓ દ૨૨ોજ બને છે. તમે લોકો પણ સાવધાન રહો, સાહસ ન કરો. કોઈની પણ ગુપ્ત વાત પ્રકટ કરવાની મૂર્ખતા ન કરો.
ખોટી વાત ન કરતા હો, તમે જેવી સાંભળી હોય તેવી જ સત્ય વાત કરતાં હો છતાં પણ બીજા અણુવ્રતને અતિચાર લાગે છે. કારણ કે પરિણામ-અંજામ સારો નથી આવતો; એટલા માટે વાત સાચી હોવા છતાં પણ પારમાર્થિક દૃષ્ટિથી અસત્ય છે.
સત્ય વચનની મહત્તા સમજો :
જ્યારે તમે સત્યનો મહિમા સમજશો ત્યારે જ મૃષાવાદ-અસત્યનો ત્યાગ કરી શકશો. આ વર્તમાન જીવન માત્રનો જ વિચાર નથી કરવાનો, આવનાર મૃત્યુની પછીની જીવનયાત્રાનો પણ વિચાર કરવો જોઈએ. જો આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં મારું વચન સર્વગ્રાહ્ય બને. મારી વાણી પ્રભાવક બને. અને સર્વને પ્રિય લાગે તો તમે સત્ય બોલો, અસત્ય ન બોલો.
સત્ય પણ અપ્રિય અને અહિતકર બોલવાનું નથી. યાદ રાખો કે જો તમે સત્ય અપ્રિય બોલશો તો તમારી વાત સ્વીકાર્ય નહીં બને. જો તમે સત્ય પણ અહિતકારી કહ્યું તો પારમાર્થિક દૃષ્ટિએ તે અસત્ય જ કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org