________________
૧૨૨
તો નહીં ને ?
સભામાંથી - અમે પત્નીની વાતો કહીશું, પત્ની અમારી વાતો કહેશે !
મહારાજશ્રી :- એનું શું પરિણામ આવે ? જો સ્ત્રી વધારે સેન્સીટીવ લાગણીશીલ હોય તો સંભવ છે કે તે આત્મહત્યા કરી બેસે. અથવા પતિને ત્યજીને ચાલી જાય છે; અથવા પ્રતિદિન કજિયા થતા જ રહે છે. ઘરનું વાતાવરણ કલુષિત થઈ જાય છે અને બાળકોના મન ઉપર પણ માતાપિતાની દોષિત છાયા પડે છે.
આમ મિત્રોની, – દોસ્તોની ગુપ્ત વાતો પણ પ્રકટ ન કરવી જોઈએ. મિત્રની, સ્નેહી-સ્વજનની ગુપ્ત વાત પ્રકાશિત કરવાથી મિત્રને તો નુકસાન થાય જ છે, તમને પણ પ્રાણહાનિનું જોખમ ઊભું થાય છે.
એક સત્ય ઘટના જણાવું.
મિત્રોની પણ ગુપ્ત વાત પ્રકટ ન કરો :
મુંબઈમાં બે મિત્રો હતા; બાળપણથી બંનેની મિત્રતા હતી. પોતાના સુખદુઃખની વાતો તે એક બીજાને કરતા હતા. બંને વચ્ચે કોઈ પણ વાતનો પડદો ન હતો. આપણે આ મિત્રોને મંથન અને ચિંતનના નામે ઓળખીશું. બંને એક સાથે રહેતા હતા અને એકલા રહેતા હતા.
શ્રાવક જીવન
એક દિવસ ચિંતન બહારથી આવ્યો ત્યારે તે ખૂબ થાકેલો હતો. કંઈક ભયભીત પણ લાગતો હતો. સ્નાનાદિથી પરવારીને જ્યારે તે મંથન સાથે ચા પીવા બેઠો ત્યારે મંથને પૂછ્યું : "આજ તારા શરીરમાં થાક વધુ પ્રમાણમાં જણાય છે, અને તારી આંખોમાં ભય છે; બતાવ, શું વાત છે ?” ચિંતન મૌન રહ્યો. મંથને આગ્રહ કર્યો ત્યારે ચિંતન બોલ્યો :
“તારાથી મેં એક વાત છુપાવી છે. આજે તને જણાવી દઉં છું, તું આગ્રહ કરે છે તો.ખબર નથી કે કાલે શું થશે ? મારી જિંદગી પણ ભયમાં છે. હું આંતરરાષ્ટ્રીય દાણચોરીના ધંધામાં ફસાઈ ગયો છું. કાલે અમે પોલીસના હાથમાં સપડાતાં સપડાતાં બચી ગયા. છતાં મને શંકા છે કે પોલીસે મને ઓળખી લીધો છે. એટલા માટે થોએક ભય છે.....”
ચિંતનની વાત સાંભળીને મંથન સ્તબ્ધ થઇ ગયો. તેણે ચિંતનને કહ્યું : “ચિંતન, તું ક્યારથી આ ધંધામાં પડ્યો છે ?" ચિંતને જવાબ આપ્યો. "અંદાજે એક વર્ષથી.” મંથને ચિંતનને એ સમયે તો કશું ન કહ્યું. તે ઊભો થઈને ચાલ્યો ગયો પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org