________________
૧૨૧
છે : “મારી પાસે તમારી કોઈ થાપણ નથી.” અનાભોગ એટલે અજાણપણું, અજાણપણામાં બોલે તો વ્રતભંગ થતો નથી. જાણીજોઈને બોલે તો વ્રતભંગ થાય
છે.
ભાગ ૧
·
"जाणं तो जइ करेइ तो भंगो । “
એટલા માટે કોઇની ય થાપણ હડપ કરવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ. માની લો કે તમે અણુવ્રતધારી નથી; છતાં પણ તમારે આ પાપ ન કરવું જોઈએ.
થાણ પાછી ન આપવાથી સામાવાળી વ્યક્તિને ઊંડી વેદના થાય છે અને કોકવાર મૃત્યુ પણ થાય છે. આ મૃત્યુના તમે નિમિત્ત બની જાઓ છો. એનાથી ઘોર પાપકર્મનો બંધ થાય છે અને દુર્ગંત થાય છે. તમે થાપણ પાછી આપતા નથી તો તમારે બીજા ભવમાં પણ કોઈને કોઈ રૂપમાં પાછી આપવી તો પડશે જ, એટલા માટે પ્રામાણિક બનીને જીવો.
૫. પત્ની-મિત્ર વગેરેની ગુપ્તવાતો પ્રકટ ન કરો ઃ
બોલવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. કેટલીક ઘટનાઓ, કેટલાક પ્રસંગો એવા હોય છે કે કોઈને ય કહેવાના હોતા નથી; છતાં જેના ઉપર વિશ્વ સ હોય છે એને – નિકટના લોકોને પોતાની ગુપ્ત વાતો પણ લોકો કહી દે છે.
માની લો કે તમારી પત્નીને તમારી ઉપર અતિશય પ્રેમ છે, ખૂબ જ વિશ્વાસ છે. તેના મનમાં કોઈ કોઈ વાર એક વાત આવે છે કે : “મારે કોઈ પણ વાત મારા પતિથી છુપાવવી નથી. તે મને હ્રદયથી પ્યાર કરે છે. તો હું મારી ગુપ્ત વાત પણ તેમને જણાવી દઉં. જ્યાં સુધી હું નહીં જણાવું ત્યાં સુધી મારા દિલમાં દુઃખ થશે.” તેણે પોતાની વાત એક દિવસે એકાન્તમાં પતિને કહી દીધી : "આજ હું આપને મારા જીવનની, લગ્ન પહેલાંની એક ભૂલ બતાવવા માગું છું. આપ મને ક્ષમા કરશો. એક યુવાન સાથે મારો શારીરિક સંબંધ થઈ ગયો હતો......મારું કૌમાર્ય ભંગ થયું હતું.....પાછળથી મને ઘણો જ પસ્તાવો થયો હતો.....પરંતુ જે વાત બનવા જેવી ન હતી તે બની ગઈ......
તમે પત્નીને આશ્વાસન આપ્યું અને આ વાત હું કોઈનેય કહીશ નહીં એવું વચન પણ આપી દીધું.
થોડાંક વર્ષો પસાર થાય છે. ઘરમાં બાળકો પણ રમતાં થયાં છે. કોઈ પ્રસંગવશ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. ઝઘડો શમાવવા માટે તમારા બે મિત્રો આવ્યા. શું એ પ્રસંગે તમે તમારી જાત ઉપર સંયમ રાખશો ? પત્નીની વાત મિત્રોને કહેશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org