________________
૧૨૦
એક છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ :
એક સારા ઘરની છોકરી કોલેજથી પાછી આવતી હતી. રસ્તામાં એને એનો એક કાકાનો દીકરો ભાઈ મળી ગયો. મુંબઈથી આવ્યો હતો. બંને જણાં રોડની બાજુમાં ઊભાં ઊભાં વાતો કરવા લાગ્યાં. આ છોકરીને એક છોકરો દૂરથી જુએ છે. તેણે ખોટું અનુમાન કર્યું. એ છોકરા સાથે જ એ છોકરીની સગાઈ થઈ હતી. એ છોકરાએ સગાઈ તોડી નાખી ! એટલું જ નહીં, છોકરી અંગે, તેના ચારિત્રની બાબતમાં ખોટી ખોટી વાતો ફેલાવી. છોકરીએ એ છોકરાને સમજાવવા ભરપૂર પ્રયત્નો કર્યા; પણ તેણે ન માન્યું. છેવટે છોકરીએ આત્મહત્યા કરી.
બીજાંની રહસ્યભૂત વાતો અંગે ખોટાં અનુમાનો ન કરો.
૩. જૂઠા લેખ ન લખવા જોઈએ :
”મારે તો ખોટું ન બોલવાનું વ્રત છે. ખોટું ન લખવાનું વ્રત નથી. એવું લખવાથી મારા વ્રતનો ભંગ નહીં થાય.” આવું વિચારીને જો વ્રતધારી મનુષ્ય ખોટો-જૂઠો લેખ લખે તો એનું વ્રત દૂષિત થાય છે.
બેંકમાં બનાવટી સહી કરીને બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી લે છે.
દસ્તાવેજો ઉપર ખોટી સહી કરીને લોકો બીજાંની જમીન હડપ કરી જાય
છે.
શ્રાવક જીવન
એવો પત્ર લખવો કે જેનો બીજો અર્થ થતો હોય.
આવાં ખોટાં કામ કરવાથી વ્રત તો મલિન થાય જ છે. રાજ્યનો પણ ગુનો બને છે, જો પકડાઈ જાય તો જેલ ભેગો થાય છે, બેઇજ્જતી પણ થાય છે; એટલા માટે આવા લેખ ન લખવા જોઈએ.
૪. થાપણ હડપ ન કરવી જોઈએ :
જેમ કે કોઈકે તમને વિશ્વાસપાત્ર સમજીને તમને સોનું-ચાંદી અથવા રૂપિયા થાપણના રૂપમાં આપ્યા. જ્યારે તે પાછા લેવા માટે આવે ત્યારે તમે વિવાદ ઊભો કરી દો ! મારી પાસે તમારા રૂપિયા જેવું કશું નથી !”
જો કે આ પાપને અહીં અતિચાર બતાવ્યો છે. પરંતુ આ પણ એક મોટું પાપ છે. વિશ્વાસઘાત છે ને અદત્તાદાન રૂપ ચોરી જ છે. પરંતુ અહીં મૃષાવાદ વિરમણ વ્રતનો અતિચાર કહ્યો છે. ત્યાં સુધી જ અતિચાર છે, જ્યારે તે અનાભોગથી બોલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org