SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૧ ૧૧૯ ૨. કોઈની ગુપ્ત વાતના વિષયમાં ખોટાં અનુમાનો ન કરવાં : કોઈ બે અથવા ચાર માણસો ગુપ્ત મંત્રણા કરે છે. તમે એ મંત્રણામાં સામેલ નથી. તે લોકો શું વાત કરે છે તે જાણવાની તમને જિજ્ઞાસા છે, પરંતુ પાસે જઈને સાંભળી શકો તેમ નથી. દૂરથી ખોટાં તાર્કિક અનુમાન કરીને, "એ લોકો આવી આવી વાતો કરતા હતા” એવું બોલવું એ બીજો અતિચાર છે. આવું બોલવાથી અણુવ્રત તો દૂષિત થાય છે જ, એ સાથે બીજાં ઉપર આપત્તિ આવી પડે છે. પહેલાં પરિવારની દ્રષ્ટિથી આપત્તિ બતાવું છું. ભાઈ અને ભાભી એકાંતમાં વાત કરે છે. બહેને તે જોયું. "ભાઈ-ભાભી શું ગુસપુસ કરે છે?" તે ખોટું અનુમાન કરે છે અને જઈને બાને કહે છે: “ભાભી ભાઈને જુદા થવા સમજાવી રહી છે, મેં એમને વાતો કરતાં જોયાં છે.” સાસુ વહુ વચ્ચે ઝઘડો થશે ને? જ્યારે વહુને તો જુદા થવાની કલ્પનાય ન હોય! સાસુ જ્યારે ગુસ્સામાં આવીને કહે છે કે “તું મારા પુત્રને બગાડે છે, તું મારા ઘરમાં આગ લગાડે છે. મારા ઘરને વેરવિખેર કરવા બેઠી છે.” ત્યારે વહુના મનમાં શું થશે? નણંદના ખોટા અનુમાનથી વહુને કેટલું સહન કરવું પડે છે? એ રીતે બહેન ભાઈને કેવો અન્યાય કરી રહી છે? હવે એક ઉદાહરણ સામાજિક દ્રષ્ટિથી સમજાવું. બે-ચાર સ્ત્રીઓ તમારા ઘરના સામેના ઓટલા ઉપર બેસીને મંદ મંદ સ્વરમાં વાતો કરે છે. તેઓ વારંવાર તમારા ઘરની સામે જુએ છે. તમારા મનમાં શંકા થાય છે : ” આ સ્ત્રીઓ મારા ઘરની નિંદા તો નથી કરતી ?" તમે તમારી પત્નીને કહ્યું, પત્નીએ પણ એ સ્ત્રીઓ તરફ જોયું અને તે જોર જોરથી બોલવા લાગી કરી નિંદા પેટ ભરીને, અમારી નિંદા કરવા સિવાય તમને આવડે છે શું?” બિચારી પાડોસણો આશ્ચર્ય પામે છે, અને એમાંથી એક સ્ત્રી કહે છે: અમે શા માટે તમારી નિંદા કરીએ? અમે તો અમારા ઘરની વાત કરીએ છીએ.” તમારી સ્ત્રી કહે છે: "જુઠું ન બોલ, મને ખબર છે તું મારી જ નિંદા કરે છે....” થઈ ગયો ને ઝઘડો? સ્ત્રીઓનો ઝઘડો જ્યારે પુરુષોમાં પ્રવેશે છે ત્યારે શું થાય છે ? સ્નેહી-મિત્રોમાં પણ ખોટાં અનુમાનો કરવાથી પરસ્પરનો સ્નેહ નષ્ટ થાય છે, સંબંધો તૂટી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બીજાની ગુપ્ત વાતો અંગે ખોટા અનુમાનો કરવાથી બીજુંઅણુવ્રત તો દૂષિત થાય જ છે, સાથે સાથે આ બધા અનાથ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે કદી પણ ખોટો અનુમાનો ન કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy