________________
ભાગ - ૧
૧૧૭ . "આચારાંગસૂત્ર” માં શ્રી સુધમાં સ્વામી જંબૂ સ્વામીને કહે છે: "હે જંબુ, હું તને કહું છું કે જે અરિહંત ભગવંતો અતીત કાળમાં થઈ ગયા, જે વર્તમાનમાં વિચરે, છે, અને ભવિષ્યમાં ઉત્પન્ન થશે તે સર્વે આ રીતે કહે છે, પ્રરુપણા કરે છે, પ્રતિપાદન કરે છે, ઉપદેશ આપે છે કે સર્વપ્રાણી, સર્વભૂત, સર્વ જીવ, હનનયોગ્ય નથી; સંઘટ્ટન કરવા યોગ્ય નથી, ઉપદ્રવ કરવા યોગ્ય નથી. આ ધર્મ જ ધ્રુવ-નિયત અને શાશ્વત છે. આ રીતે લોકાલોકદર્શી સર્વજ્ઞો કહે છે.”
પુરાણ, સ્મૃતિ, વેદ વગેરે અન્ય શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ રૂપથી અહિંસાની જ પ્રધાનતા માનવામાં આવી છે.
દીર્ઘ આયુષ્ય, સ્થિરતા, નિરોગિતા, સૌભાગ્ય, મધુરવાણી અને પ્રશંસા વગેરે અહિંસા-દયા ધર્મનાં જ ફળ છે. એટલા માટે પ્રથમ અણુવ્રત ગ્રહણ કરીને તેનું સુયોગ્ય પાલન કરતાં દયાધર્મને હૃદયમાં સ્થાપિત કરવો જોઈએ. - તમારા સૌના હૃયમાં દયાધર્મની શાશ્વત સ્થાપના થાય, દયાધર્મ પ્રતિષ્ઠા પામો અને તમે પૂર્ણસુખ સૌભાગ્ય પ્રાપ્ત કરનારા થાઓ, એ જ મંગલ કામના.
આજ બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org