________________
૧૧૬
શ્રાવક જીવન અપરાધ બે રીતે જોવા જોઈએ. એક અપરાધ આપણી તરફ હોય અને બીજો અપરાધ બીજાં પ્રત્યે હોય. તમને કોઈકે પથ્થર માર્યો, તમારામાં સહનશક્તિ છે, તમે સમતા રાખી શકો છો, તો તમે એ અપરાધીને સજા નહીં કરો, પરંતુ તમારામાં સમતા નથી અને સ્વરક્ષાની ભાવનાથી તમે એ અપરાધીને મારો છો તો તમારા વ્રતને દોષ નથી લાગતો.
એક દુષ્ટ વ્યક્તિ તમને કશું કરતી નથી પરંતુ તમારા દેખતાં કોઈ સ્ત્રીને પરેશાન કરે છે, તમારા સમજાવ્યા છતાં પણ તે સમજતી નથી તો તમે એના અપરાધની સજા કરી શકો છો. તમારું અણુવ્રત અખંડ રહે છે.
એ રીતે કોઈ બળવાન માણસ કોઈ નિર્દોષને-નિર્બળને દુખ આપે છે, તે તમારી મદદ માગે છે, તમે એને બચાવવા માટે પેલા બળવાનને સજા કરો છો, બાંધો છો. મારો છો તો પણ તમારું અણુવ્રત નિષ્કલંક રહે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે તમે અપરાધીને સજા કરો છો તો તમારા પહેલા અણુવ્રતને ડાઘ લાગતો નથી. સંકલ્પપૂર્વક હિંસા ન કરો :
આમ તો કદાચ કોઈ જીવને મારવાનો તમારો સંકલ્પ ન હોય, પરંતુ પ્રમાદવશ કોઈ જીવની હિંસા થઈ જાય તો તમારું અણુવ્રત ખંડિત થતું નથી. હું એને મારું” એવા નિર્દય ભાવથી જે મારો અને તે જીવ મરી જાય તો તમારું અણુવ્રત ખંડિત થઈ ગયું સમજો. એટલા માટે મનમાં “મારીશ” એવો વિચાર સુદ્ધાં કરવાનો નથી. કોઈને મારવાનો વિચાર આવી જાય તો પણ કડક પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. ઉપસંહાર
તીર્થકર ભગવંતોએ હિંસાના કટુ વિપાક બતાવતાં કહ્યું છે કે હિંસાથી જીવને દુભાંગ્ય, અપંગ શરીર, રોગ, દુગતિ પ્રાપ્ત થાય છે. આ જાણીને કયો બુદ્ધિમાન પુરુષ હિંસા કરશે ?
મહાન સુખ-સંપત્તિ જો ઇચ્છતા હો તો વગર પ્રયોજને સ્થાવર જીવોની પણ હિંસા ન કરવી.
યાદ રાખો એક કીડીથી શરૂ કરીને દેવરાજ ઈન્દ્ર સુધીના સર્વે જીવો જીવન ઈચ્છે છે. જીવિતદાન પ્રાપ્ત થતાં જીવોને પ્રસન્નતા થાય છે. એ મોટું રાજ્ય મળતાં પણ પ્રાપ્ત ન થાય એવી પ્રસન્નતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org