________________
૧૧૪
શ્રાવક જીવન જોઈએ. જીવહિંસા અનેક અનર્થ પેદા કરે છે. અલબત્ત, સંપૂર્ણ અહિંસાનું પાલન તો સાધુ પુરુષો જ કરી શકે છે. ત્રસ અને સ્થાવર, તમામ પ્રકારના જીવોની મન, વચન અને કાયાથી હિંસા કરવી ન જોઈએ. કરાવવી ન જોઈએ, અને અનુમોદન ન કરવું જોઈએ. આ પ્રકારે હિંસાનો ત્યાગ સાધુ પુરુષો જ કરી શકે છે.
ગૃહસ્થ ધર્મમાં તો માત્ર નિરપરાધી ત્રસ જીવોની જ સંકલ્પપૂર્વક હિંસાનો ત્યાગ થાય છે. તમે લોકો ગૃહસ્થો છો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવોની હિંસા તમારા જીવનમાં થતી જ રહે છે. ત્રસ જીવોની દ્વિ-ઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના) હિંસા પણ થોડી ઘણી તો થતી રહે છે, એટલા માટે તમારું અણુવ્રત એટલું જ છે કે તમે નિરપરાધી ત્રસ જીવોની હિંસા નહીં કરો. અને તે પણ સંકલ્પપૂર્વક-ઇરાદાપૂર્વક હિંસા નહીં કરો. સ્થાવર જીવો પ્રતિ પણ કરુણા રાખો
સમ્યગુદર્શનના પ્રકાશમાં તમે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવત્વને માનો છો. ભલે તે સ્થાવર જીવો છે. સૂક્ષ્મ જીવ છે, પરંતુ જીવ તો છે જ. ભલે તેમની હિંસા ન કરવાનું વ્રત નથી લીધું તમે, છતાં પણ નિર્દયતાથી, ઉપેક્ષા ભાવથી એ જીવોની પણ હિંસા ન કરવી જોઈએ. તેમની ઉપેક્ષા જીવત્વની ઉપેક્ષા છે. હિંસા કરવી જ પડતી હોય તો સાપેક્ષ ભાવથી, ઓછામાં ઓછી માત્રામાંપ્રમાણમાં કરવી જોઈએ.
પાણીનો ઉપયોગ ખૂબ ઓછો કરવો જોઈએ, પરંતુ જ્યારથી ઘરમાં પાણીના નળ આવ્યા છે, ત્યારથી પાણીનો ખૂબ જ દુરુપયોગ થવા લાગ્યો છે. જ્યાં એક લોટાથી કામ ચાલતું હતું ત્યાં પચાસ લોટા પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે. એનું પરિણામ તમે જુઓ છો ને ? દેશના અનેક પ્રાન્તોમાં રાજ્યોમાં પાણીનો અભાવ વર્તાઈ રહ્યો છે. પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે !
પાણી અપૂકાય સ્થાવર જીવ છે, પરંતુ એમાં ત્રસ જીવો પડે છે, એટલે જ પાણી ગળીને પીવું જોઈએ, ઉપયોગમાં લેવું જોઈએ. એથી ત્રસકાય જીવો બચી જશે.
અગ્નિનો ઉપયોગ પણ ઓછામાં ઓછો કરવો જોઈએ. લાકડાનો અગ્નિ હોય કે કોલસાનો, ગેસનો હોય કે કેરોસીનનો....અગ્નિ કોઈ પણ હોય, ઉપયોગ ઓછો કરવો જોઈએ. "અગ્નિમાં જીવત્વ છે" એ વાત યાદ રાખો.
વાયુકાય પ્રત્યે પણ કરુણાભાવ હોવો જોઈએ. કેટલાય લોકો ૨૪ કલાક પંખા ચાલુ રાખે છે. અસંખ્ય જીવોની હિંસા થાય છે પંખો ચાલવાથી! અસહ્ય ગરમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org