SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૧ ૧૧૧ જોઈએ, પરંતુ સજા કરતી વખતે દ્ધયમાં ક્રોધ હોવો ન જોઈએ. ક્રોધ હશે તો સાપેક્ષ ભાવ નહીં રહે. ક્રોધથી માણસ અંધ બની જાય છે. અને મર્મપ્રહાર પણ કરી બેસે છે. સામેનો જીવ મમહત થવાથી મરી પણ જાય ! મોટો અનર્થ થઈ જાય ! એટલા માટે પશુ ધા મનુષ્યને મારતી વખતે પણ ભીતરથી જાગ્રત રહેવાનું છે. આપણો ભાવ એને સુધારવાનો-રાખવાનો છે, મારવા માત્રનો નહીં. ૩. જીવોનાં અંગોપાંગનું છેદન ન કરો: જીવો સાથે નિર્દયતાથી વ્યવહાર કરવાનો જ નથી. જ્યારે જીવોને નિર્દયતાથી મારવાનાં ન હોય તો પછી તેમના હાથ, પગ, કાન, નાક વગેરે અંગોપાંગોનું છેદન કેવી રીતે કરાય? શ્રાવક આવું હીન કર્મ કરી જ ન શકે. પરંતુ દયાથી પ્રેરાઈને અથવા પોતાના વ્યવસાય (ડૉકટરી)થી જીવોનાં ઓપરેશન કરે તો તે વ્રતનો અતિચાર બનતો નથી પણ દયાનું કાર્ય બને છે, પુણ્યબંધનું કાર્ય બને છે. શ્રમણ ભગવાન મહાવીરના કાનોમાં જ્યારે તે ધ્યાનસ્થ અવસ્થામાં હતા ત્યારે લાકડાના અણીદાર ખીલાઓ ઠોકી બેસાડવામાં આવ્યા હતા ....ક્રોધમાં પાગલ બનીને ગોવાળે પાપકર્મ બાંધ્યું હતું. પરંતુ જ્યારે વૈદ્ય ભગવાનના કાનોમાંથી ખીલા કાઢ્યા ત્યારે ભગવાનને એટલી તીવ્ર પીડા થઈ હતી કે તેમના મુખમાંથી ચીસ નીકળી ગઈ હતી. આટલી પીડા થઈ હોવા છતાં ખીલા કાઢનાર વૈધે તો પૂણ્યકર્મ બાંધ્યું હતું. કારણ કે વૈદ્યની ભાવના ભગવાનને પીડા પહોંચાડવાની ન હતી, પીડા મટાડવાની હતી. ૪. નોકરો પાસે વધુ કામ ન કરાવો : કોઈ પણ જીવને જાણી જોઈને પીડા કરવાની નથી! "આત્મવત્ સર્વભૂતેષુ” ની ભાવનાને આત્મસાત કરનારો સમકિતદ્રષ્ટિ જીવ એવો વ્યવસાય પણ નહીં કરે કે જેમાં મનુષ્યોને અને પશુઓને વધારે ત્રાસ આપવો પડતો હોય. નોકર પાસે પણ તે વધારે કામ નહીં કરાવે. * જેમ કે તમે ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ઊતર્યો. તમારી પાસે વધારે સામાન છે. તમારે બધો સામાન એક જ કુલીના માથે ચડાવવો જોઇએ નહીં, તે જેટલો ઉપાડી શકે તેટલો જ સામાન એને આપવો જોઈએ. સ્ટેશનમાંથી તમે બહાર આવ્યા, તમને ઓટોરિક્ષા ન મળી, મનુષ્પરિક્ષા મળી. રિક્ષા માણસ ચલાવે છે. રિક્ષા ચલાવનારને ત્રાસ ન પડે એટલા જ માણસો એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy