SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રાવક જીવન બુદ્ધિથી વિચા૨શો તો સમજી શકશો કે આટલી ભયંકર હિંસા વધવામાં તમે લોકો પણ નિમિત્ત બન્યા છો. આ ઘોર હિંસા રોકવી હોય તો પશુપાલન વ્યાપક રૂપે થવું જોઈએ. ગ્રામ વિસ્તારોમાં લાખો પશુઓનું પાલન થઈ શકે તેમ છે; પરંતુ પશુઓ પ્રત્યે પ્રેમ અને કરુણા હોવી જોઈએ ને ? એ ક્યાંથી લાવીશું ? મનુષ્યો પ્રત્યે પણ પ્રેમ અને કરુણાના સ્રોત સુકાવા લાગ્યા છે, તો પછી પશુઓ પ્રત્યે પ્રેમ અને કરુણાની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? શ્રાવકના હૃદયમાં પશુઓ માટે એવો પ્રેમ હોવો જોઈએ કે જેથી તેને ત્યાં રહેતાં પશુઓ બંધન વગર રહે ! પશુઓને જ્યાં પ્રેમ થઈ જાય છે ત્યાં તેઓ વિના બંધને રહે છે. શાસ્ત્રોમાં એવાં ઉદાહરણો પણ મળે છે. શ્રાવકને ત્યાં રહેનારા બે બળદોજે દિવસે શ્રાવક ઉપવાસ કરે તે દિવસે બે બળદો પણ ઉપવાસ કરતા હતા ! શ્રાવકશ્રાવિકા જ્યારે સ્વાધ્યાય કરતાં હતાં ત્યારે પાસે ઊભા રહીને બે બળદો પણ સ્વાધ્યાય (ધર્મચર્ચા) સાંભળતા હતા. સાંભળી સાંભળીને તેઓ સ૨ળ અને દયાવાન પ્રાણી બની ગયા હતા. સભામાંથી : આજે તો અમે ઉપવાસ કરીએ છીએ, તો અમારાં સંતાનો પણ ઉપવાસ કરતાં નથી ! અમે ધર્મચર્ચા કરીએ છીએ, તો અમારાં સંતાનોને એ ગમતું નથી ! મહારાજશ્રી : હાથી ઘોડા, બળદ, ગાય, ભેંશ વગેરે પશુ પ્રાયઃ સરળ પરિણામવાળાં પશુઓ હોય છે. તેઓ પ્રેમનો જવાબ પ્રેમથી આપે છે; મનુષ્યમાં સરળતા રહી નથી ! પ્રેમનો જવાબ તિરસ્કારથી મળે છે ને ! આ અપેક્ષાથી મનુષ્ય કરતાં પશુ સારાં પ્રાણી છે ! ૨. જીવોને નિરપેક્ષ ભાવોથી મારો નહીં : જે રીતે મનુષ્ય અને પશુઓને નિરપેક્ષ ભાવથી બાંધવાનાં નથી, તે રીતે તેમને નિરપેક્ષ ભાવથી મારવાનાં પણ નથી. અહીં મારવાં, યા “વધ” શબ્દનો અર્થ “મર્ડર", હત્યા કરવાનો નથી, પરંતુ સામાન્ય શારીરિક સજા કરવાનો છે. એવી રીતે મારવાં કે જેથી તેમનાં મર્મસ્થાનો ઉપર પ્રહાર ન થઈ જાય, ચોટ ન લાગી જાય. વાસ્તવિકતા તો એ છે કે શ્રાવકનું વ્યક્તિત્વ જ એવું હોવું જોઈએ કે ઘરનાં તમામ માણસો એનો વિનય-સન્માન કરનારાં બને. અને જો કોઈ અવિનય ઔદ્વત્ય કરતું હોય, બેત્રણ વાર સમજાવવા છતાં પણ ન સમજે તો એને મામુલી સજા કરવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy