________________
ભાગ - ૧
૧. જીવોનું બંધન :
જીવોની સાથે આપણો વ્યવહાર કેવા ભાવથી થાય છે તે મહત્ત્વપૂર્ણ વાત છે. યાદ રાખો કે તમે વ્રતધારી બન્યા છો. તમારૂં "પ્રાણાતિપાત વિરમણ” નામે પ્રથમ વ્રત છે. પશુ હોય કે મનુષ્ય, તમે નિષ્પ્રયોજન એને બાંધી શકતા નથી ! બંધન તો પશુને પણ ગમતું નથી, તો મનુષ્યની તો વાત જ શી ?
૧૦૯
કેવળ આપણા મનોરંજન માટે અથવા પરપીડન માટે તમે પશુ યા માણસને બાંધો નહીં. કેટલાક માણસોને પરપીડનમાં મજા આવે છે ! આવી મજા વ્રતધારી લઈ શકતો નથી.
-
પ્રયોજનથી પણ પશુ યા માણસને બાંધવો પડે તો સાપેક્ષ ભાવથી બાંધવો જોઈએ. નિરપેક્ષ ભાવથી નહીં. કોઈ વાર કોઈ ચોર પકડાઈ ગયો અને એને બાંધવો છે, કોઈ વા૨ નોક યા નોકરાણીએ મોટો અપરાધ કર્યો અને તેને બાંધવાનું થાય, કોઈ વાર દીકરો ભણતો ન હોય અને તેને બાંધીને — પકડીને બેસાડ્યો છે.....તો એવી રીતે બાંધવાં જોઈએ કે કદાચ એ સ્થળે આગ લાગી જાય, તો તે લોકો સ્વયં પોતાનાં બંધનો તોડી શકે – ખોલી શકે. કોઈ વાર સાપ જેવું આવી જાય તો તેઓ જાતે પોતાની રક્ષા કરી શકે. નિરપેક્ષ ભાવથી ખૂબ મજબૂત રીતે બાંધવાં જોઈએ નહીં કે જેથી તેઓ બિચારાં હાલી પણ ન શકે. એટલે કે નિર્દય બનીને બાંધવાં જોઈએ નહીં.
વાસ્તવમાં તો શ્રાવકે પોતાના ઘરમાં એવાં પશુઓ રાખવાં જોઈએ કે જેમને બાંધવાં ન પડે. વગર બાંધ્યે પ્રેમથી જ રહે ! એ રીતે નોકરો પણ એવા જ રાખવા જોઈએ કે જેથી તેમને બાંધવાનો—રોકવાનો પ્રસંગ જ ન આવે ! છતાં પણ કોઈ વાર બાંધવાં પડે તો સાપેક્ષ ભાવથી બાંધવાં જોઈએ. ક્રોધ કે લોભ કર્યા સિવાય બાંધવાં જોઈએ. જેથી અતિચાર ન લાગે.
હવે તમે લોકો પશુપાલન તો કરતા જ નથી ! નાનાં મોટાં શહેરોમાં રહેનારાઓ પશુઓ રાખતા નથી. અને ગામડાંઓમાં રહેનારા જૈન પણ પ્રાયઃ પશુપાલન નથી કરતા ! આપણા જૈન સમાજમાં તો પશુપાલન રહ્યું જ નથી. બ્રાહ્મણ જેવા વર્ગોમાં પણ પશુપાલન ઓછું થતું જાય છે. પશુપાલન ન કરવાથી હિંસા વધી છે ઃ
જેમ જેમ પશુપાલન ઓછું થતું ગયું તેમતેમ “સ્લોટર હાઉસ” – કતલખાનાં વધતાં ગયાં, અને દરરોજ લાખો પશુઓની કતલ થતી જાય છે. તમે લોકો સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org