SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૧૧ तथा व्रतशीलेषु पंच पंच यथाक्रमम् । પરમ કૃપાનિધિ મહાન શ્રુતધર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી સ્વરચિત "ધબિંદુ" ગ્રંથમાં ગૃહસ્થનો વિશેષ ધર્મ બતાવતાં સાવધાન કરે છે : "જે વ્રત ગ્રહણ કરો તેનું નિરતિચાર પાલન કરવાના હેતુથી અતિચારોને સમજો.” અહીં ગ્રંથકારે અણુવ્રતો માટે તો "વ્રત” શબ્દનો જ પ્રયોગ કર્યો છે, પરંતુ ગુણવત અને શિક્ષાવ્રત માટે "શીલ" શબ્દનો પ્રયોગ કર્યો છે. આ વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. ક્યાંય પણ ગુણવ્રત અને શિક્ષાવ્રત માટે "શીલ" શબ્દનો પ્રયોગ પ્રાયઃ સાંભળવામાં આવ્યો નથી. "શીલ" શબ્દનો અર્થ વ્યાપક અર્થમાં કરવામાં આવ્યો છે. દિશાઓનું પરિમાણ, ભોગ-ઉપભોગ પરિમાણ, અનર્થદંડ વિરતિ જેવાં શીલસ્વરૂપો છે. તેવી રીતે સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગ પણ શીલ-સ્વરૂપ છે. પ્રત્યેક વ્રત અને પ્રત્યેક શીલના પાંચ-પાંચ અતિચાર છે. પહેલા અણુવ્રતના પાંચ અતિચાર આ રીતે બતાવવામાં આવ્યા છે. बन्ध-वधच्छविच्छेदातिभारारोपणान्नपाननिरोधाः । અતિચાર કોને લાગે છે ? અતિચારોનું વિવેચન કરવા પૂર્વે આ અતિચારો કેવા મનુષ્યને લાગે છે તે વાત સમજાવું છું. જે મનુષ્ય ક્રોધી હોય, લોભી હોય, એટલે કે કષાયોથી જેનું અંતઃકરણ મલિન હોય અને "જીવ મરી જાય તો પણ શું ?” એવી રીતે વિચારતો જીવહિંસા પ્રત્યે નિરપેક્ષ વૃત્તિવાળો હોય છે તેને જીવોનો બંધ.....વધ.....વગેરે કરવાથી અતિચાર લાગે છે; પરંતુ જે મનુષ્ય જીવોનો બંધ.....વધ વગેરે કરવામાં સાપેક્ષ વૃત્તિવાળો હોય છે, કષાયોને વશ થતો નથી તેને અતિચાર લાગતા નથી. સાપેક્ષ જીવ બંધ વગેરે કરે છે, છતાં પણ નિર્દોષ હોય છે; જ્યારે નિરપેક્ષ જીવને બંધ વગેરે કરવાથી અતિચાર લાગે છે. આ રીતે અતિચારોનો સંબંધ ક્રિયાની સાથે બતાવવામાં આવ્યો નથી પણ ભાવની સાથે બતાવવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy