________________
૧૦૬
શ્રાવક જીવન
તમારી પાસે વધારે હોય તો પરિચય કરવામાં કોઈ ચિંતા નથી. અને જો તેની પાસે વધારે હોય તો તમે તેનાથી દૂર રહો.
સભામાંથી : વર્તમાન સ્થિતિમાં તો અમારે બીજા ધર્મવાળાઓ સાથે રોજનો સંપર્ક રાખવો પડે છે.
મહારાજશ્રી : હું માનું છું, એટલા માટે માર્ગદર્શન આપું છું. તમે લોકો પૈસા માટે એટલા નિર્બળ બની ગયા છો, એટલા પાગલ બની ગયા છો કે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક – પરિચય કરી બેસો છો. તમને તમારા "સમ્યગ્દર્શન” ગુણને સુરક્ષિત રાખવાની ઈચ્છા છે ? કદી તમને વિચાર આવે છે કે "મારા આત્મામાં સમ્યગ્દર્શન ગુણ પ્રકટ થયો છે કે નહીં ? મારે મારા આ ગુણને સુરક્ષિત રાખવો જોઈએ. આ ગુણને ડાઘ લાગે એવું મારે ન કરવું જોઈએ. મારે કોઈ સુખ છોડવું પડે તો છોડીશ, પરંતુ મારી શ્રદ્ધાને ડગવા નહીં દઉં.” આવે છે આવા વિચારો?
તમારો સંકલ્પ છે ને કે ગમે તેવું દુઃખ આવી પડે તો પણ હું વીતરાગ સર્વશ પરમાત્માને છોડીને અન્ય કોઈ રાગ-દ્વેષી, મિથ્યાત્વી દેવ-દેવી પાસે નહીં જાઉં ?
સભામાંથી : અમારા કેટલાક ભાઈઓ વીતરાગ પરમાત્માના મંદિરે આવતા નથી....પરંતુ રોકડિયા હનુમાનના મંદિરે જાય છે.
મહારાજશ્રી : હનુમાન જેવા વૈરાગી - વીતરાગી બન્યા હતા તેવા બનવા માટે જતા હશે !
સભામાંથી : ના જી ! હનુમાનજી પાસેથી ધન લેવા માટે ! હનુમાનજી પાસે સંસારનાં સુખ લેવા માટે જાય છે !
મહારાજશ્રી ઃ આવા લોકોને સમ્યગ્દર્શન ગુણનો ખ્યાલ જ હોતો નથી. તેઓ આત્મગુણોથી અનભિજ્ઞ હોય છે. આવા લોકો કોઈપણ ધર્મના લોકો સાથે વ્યાપારિક સંબંધ રાખે છે, તેમની સાથે ખાય-પીએ છે, કલાકો સુધી વાર્તાલાપ કરે છે; હવે તો લગ્ન-સંબંધ પણ કરે છે – કોઈ કોઈ જૈનો મુસલમાનો સાથે પણ લગ્ન કરવા લાગ્યા છે ને ?
અમારી વાત તો એ લોકો માટે છે કે જેમને “સમ્યગ્દર્શન” ગુણ સુરક્ષિત રાખવો છે; જેઓ સમ્યગ્દર્શન ગુણનું મહત્ત્વ સમજે છે, એવા મહાનુભાવ આ પાંચે દોષોથી
બચીને રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org