________________
ભાગ - ૧
૧૦પ બુદ્ધિમાં વિભ્રમ ઉત્પન્ન કરનારી વાતો ન સાંભળો. એવી ચોપડીઓ પણ ન વાંચો. જિનવચનો ઉપર અવિચળ વિશ્વાસ રૂપી અણમોલ સંપત્તિને સુરક્ષિત રાખવાની છે. અપૂર્ણ અસવજ્ઞોની પ્રશંસા ન કરો :
શ્રદ્ધાની સંપત્તિને સુરક્ષિત બનાવવા માટે જે સર્વજ્ઞ નથી એવા માણસોની પ્રશંસા ન કરવી. જે પૂર્ણ નથી તેમની પ્રશંસા ન કરવી. અલબત્ત, એવા બુદ્ધ, કપિલ, કણાદ વગેરેના દર્શનોમાં થોડીઘણી સારી વાતો છે કે જે જૈન દર્શનથી મળતી આવે છે, છતાં પણ તેમની પ્રશંસા ન કરવી જોઈએ. જેમ કે એ લોકો પુણ્યશાળી છે.....એમનો જન્મ સાર્થક છે..... એ લોકો દયાળુ છે....”આવી રીતે તેમની પ્રશંસા ન કરવી જોઈએ. એવી પ્રશંસા કરવાથી બન્યા એ નીકળે છે કે આપણે પુણ્યશાળી નથી....આપણો જન્મ નિરર્થક છે...આપણે દયાવાન નથી...કારણ કે આપણે જૈન-દર્શનનો સ્વીકાર કર્યો છે !”
પ્રશંસા કરવામાં પણ વિવેક હોવો જોઈએ. અન્ય ધર્મોનાં સારાં તત્ત્વોની પ્રશંસા વિવેકથી કરી શકાય છે. જેમ કે "બૌદ્ધ દર્શનનો ક્ષણિકવાદ સંસાર પ્રત્યે મનુ ને વૈરાગી બનાવે છે... અનાસકત બનાવે છે.....પતંજલિ મહર્ષિનું યોગ દર્શન યોગની સારી પ્રક્રિયાઓ બતાવે છે. વેદાન્ત દર્શન પણ મુક્તિ પામવાનો ઉપદેશ આપે છે. વગેરે.
પ્રશંસાનો અર્થ એવો ન નીકળવો જોઈએ કે તે લોકો કૃતાર્થ થઈ ગયા અને આપણે ભટકી પડ્યા. તેઓ પરમ તત્ત્વ પામી ગયા અને આપણે રહી ગયા ! અવિવેકથી અન્ય દર્શનોની પ્રશંસા કરવાથી સમ્યગુદર્શનને ધક્કો વાગે છે. અન્ય દર્શનવાળાની સંસ્તવના ન કરો :
જેવી રીતે અન્ય દર્શનવાળાની પ્રશંસા કરવાની નથી, તે રીતે તેમની સાથે રહેવાનું નથી અને પરિચય કરવાનો નથી. “સંસ્તવના” નો અર્થ સમજી લેવાનો છે. સહવાસજાનિત પરિચય કરવાનો નથી.
સાથે રહેવાથી ભોજન, વસ્ત્ર વગેરેનું આદાન-પ્રદાન થાય છે, પરસ્પર વાતલિાપ થાય છે. જે અન્ય દર્શનવાળો તમારા કરતાં વધારે બુદ્ધિશાળી હોય, ધનવાન હોય અને થોડો શાસ્ત્રજ્ઞાની હોય તો તે તમારી શ્રદ્ધાને હલાવી દેશે. તમને તેના ધર્મ પ્રત્યે ખેંચી જશે. એટલા માટે અન્ય ધર્મવાળાઓ સાથે પરિચય–સંબંધ બાંધતા પહેલાં વિચારી લેવું કે બુદ્ધિ, જ્ઞાન અને ધન કોની પાસે વધારે છે. જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org