SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રાવક જીવન દર્શન કરતાં બૌદ્ધ દર્શન વધારે સારું લાગે છે. તો હું બૌદ્ધ દર્શનનો સ્વીકાર કરું? અથવા મને વેદાંત દર્શન સારું લાગે છે, હું વેદાંત દર્શનનો સ્વીકાર કરું? આવી આકાંક્ષા કરવાથી સમ્યગ્ગદર્શન કલુષિત થાય છે. સર્વકાંક્ષા કરનારો બધાં દર્શનોની આકાંક્ષા કરે છે. તેને તમામ દર્શનોની માન્યતાઓ સારી લાગે છે ! આનાથી સમ્યગ્દર્શન મલિન થાય છે. આપણે જૈનદર્શન પ્રત્યે શ્રદ્ધાવાન બનવાનું છે. કારણ કે જૈન દર્શન સર્વજ્ઞ દર્શન છે, યથાર્થ દર્શન છે. આપણે જૈન છીએ એટલા માટે જૈન દર્શનના પક્ષપાતની વાત. નથી કરતો, પરંતુ તમામ દર્શનોનો અભ્યાસ કરવાથી જણાયું છે કે જૈન દર્શન જ શ્રેષ્ઠ અને સાચું દર્શન છે. આવું દર્શન પામ્યા પછી અન્ય અપૂર્ણ દર્શનોની સ્પૃહાકાંક્ષા શા માટે કરવી? જૈન ધર્મનું ઊંડાણથી અધ્યયન કરવું જોઈએ. જૈન દર્શનના તત્ત્વમાર્ગ, આચારમાર્ગ વગેરે એટલા તો સુંદર અને બુદ્ધિગમ્ય છે તે તમે અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે. એકાદ-બે પુસ્તકો વાંચવાથી ખ્યાલ નહીં આવે. એથી કામ નહીં થાય. પ્રત્યેક વિષયના ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કરવું પડશે અને તેમ કરવાથી તમને જૈન દર્શનનું આકર્ષણ થશે, તમારી શ્રદ્ધા વજલેપ જેવી બની જશે અને તેમને દુનિયાની કોઈ વ્યક્તિ વિચલિત નહીં કરી શકે. બુદ્ધિને સ્થિર રાખોઃ ત્રીજો અતિચાર છે "વિચિકિત્સા”નો. ટીકાકાર આચાર્યશ્રીએ વિચિકિત્સાનો અર્થ કર્યો છે મતિભ્રમ, બુદ્ધિની ચંચળતા. મતિભ્રમ થતાં મનુષ્ય વિચાર કરે છેઃ "જૈન દર્શન તો સારે છે. પરંતુ મારા જેન દર્શનના પાલનથી મને એનું ફળ મળશે કે નહીં? જેમ કે ખેડૂત ખેતીકામ કરે છે તો તેને ગમે ત્યારે ફળ મળે છે, તો કોઈ વાર નથી પણ મળતું. એ રીતે હું જિનેશ્વરદેવે બતાવેલાં વ્રત-નિયમોનું પાલન તો કરું છું પણ મને ફળ મળશે કે નહીં? – આવા સંકલ્પ વિકલ્પ (વિચિકિત્સા) કરવાથી સમ્યગુદર્શન મલિન થાય છે. સમ્યગ્દર્શન ગુણને તો આઘાત લાગે જ છે પરંતુ વિચિકિત્સાથી પાપ કર્મનું બંધન પણ થાય છે. એવાં પાપકર્મો બંધાય છે કે જેથી જ્યારે એ પાપકમાં ઉદયમાં આવે છે ત્યારે જીવાત્માને ભયાનક કષ્ટ સહન કરવો પડે છે. એટલા જ માટે મતિબુદ્ધિને સ્થિર રાખો. હું જૈનધર્મની આરાધના કરું છું તેથી મને એનું ફળ અવશ્ય મળશે” આ વિશ્વાસને અવિચળ રાખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy