SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શ્રાવક જીવન આસન આપવું જોઈએ, પગ ધોવા જોઈએ, ચંદનથી લેપ કરવો જોઈએ અને પોતાના વૈભવ અનુસાર તેમને ભોજન કરાવવું જોઈએ. વસ્ત્ર અને ઔષધ આપવાં જોઈએ. આવાસ અને બીજી જરૂરી વસ્તુઓ આપવી જોઈએ. આને “સંવિભાગ” કહે છે. આ દાન નથી, સંવિભાગ છે. આ સંવિભાગ ન્યાય—નીતિથી ઉપાર્જિત દ્રવ્યથી કરવામાં આવે છે અને સાધુ સાધ્વીઓને કલ્પનીય દ્રવ્યથી કરવામાં આવે છે. યોગ્યતા અનુસાર વતપ્રદાન : જે માણરા આ તમામ વ્રતોનું પાલન કરવામાં સક્ષમ હોય તેને બધાં જ વ્રતો આપવાં જોઈએ. જે મનુષ્ય માત્ર પાંચ અણુવ્રતો જ ઇચ્છે તેને પાંચ જ આપવા અને જે માત્ર શિક્ષાપદ અથવા ગુણવ્રત જ લેવા ઈચ્છતો હોય તેને તેટલાં જ વ્રતો આપવાં જોઈએ. એટલે તમે લોકો જેટલાં ઈચ્છો તેટલાં વ્રતો લઈ શકો છો. કેટલી કરણી કહી છે જ્ઞાની પુરુષોએ! વ્રતપાલનની તમારી જેટલી ઈચ્છા હોય અને શક્તિ હોય. તદનુસાર તમે વ્રત ગ્રહણ કરી શકો છો. પરંતુ એક વાત નિશ્ચિત હોય છે -- સમ્યકત્વની. ભલે એક વ્રત લો અથવા બાર લો. મૂળમાં સમ્યકત્વ તો હોવું જ જોઈએ. સમ્યકત્વ વગર કોઈ પણ વ્રત વિશિષ્ટ ફળ આપતું નથી, એટલા માટે સર્વજ્ઞશાસન પ્રત્યે શ્રદ્ધાવાન બનવું તો અનિવાર્ય છે જ. અતિચારોથી બચતા રહો : સમ્યગુદર્શન સહિત ગ્રહણ કરેલાં વ્રતોનું પાલન અતિશય જાગૃતિ સાથે કરવાનું હોય છે. અતિચાર લાગી ન જાય, વિરાધના ન થઈ જાય, વ્રતભંગ ન થઈ જાય એ બાબતોની જાગૃતિ રાખવી જોઈએ. જાગૃતિ નહીં હોય તો સમ્યગુદર્શન ગુણ પણ ક્ષતિગ્રસ્ત થઈ જશે. વારંવાર દોષ લાગવાથી ગુણ જીર્ણશીર્ણ થઈ જશે અને એક દિવસે ગુણ નષ્ટ પણ થઈ જઈ શકે છે. "સમ્યગુદર્શન” ગુણને કયા કયા દોષોથી બચાવીને રાખવાનો છે એ સમજવું આવશ્યક બની જાય છે. દોષોનું જ્ઞાન દોષોથી બચવા હોવું જરૂરી છે. એટલા માટે સર્વ પ્રથમ તમારે સમ્ય દર્શનને દુષિત કરનારાં પાંચ દોષ-પાંચ અતિચાર બતાવું છું સાવધાન થઈને, એકાગ્રચિત્તે સાંભળજો. शङ्का-काङ्क्षा-विचिकित्साऽन्यदृष्टि प्रशंसासंस्तवाः सम्यगदष्टेरतिचारा इति ॥ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્ય દૃષ્ટિની પ્રશંસા અને એમની સંસ્તવના – આ પાંચ અતિચારો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy