________________
૧૦૦
શ્રાવક જીવન ગુણવ્રત ઃ
ગુણવ્રતોનું પાલન કર્યા વગર અણુવ્રતોની જેવી જોઈએ તેવી શુદ્ધિ થઈ શકતી નથી. એટલે અણુવ્રતોનું પાલન પ્રતિદિન જેવું શુદ્ધ – વિશુદ્ધ થતું રહેવું જોઈએ, તે થતું નથી. એટલા માટે ગુણવ્રતોનો સ્વીકાર અને પાલન કરવું અતિ આવશ્યક છે. આ ગુણવ્રતો ત્રણ છે.
? - પહેલું ગુણવ્રત છે દિવ્રત - દિશાઓનું વ્રત. દશ દિશાઓની અપેક્ષાથી આ વ્રત બતાવવામાં આવ્યું છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ દિશાઓ છે. નૈઋત્ય વાયવ્ય, ઈશાન અને અગ્નિ, આ વિદિશાઓ છે. એક ઊર્ધ્વ દિશા અને એક અધો દિશા. આ રીતે દશ દિશાઓ છે. આ દિશાઓમાં કેટલું દૂર જવું.....એટલે ગમન પરિમાણ કરવાનું હોય છે. જ બીજું ગુણવ્રત છે ભોગ – ઉપભોગ પરિમાણનું. આમાં બે શબ્દો છે, ભોગ અને ઉપભોગ. જે વસ્તુ એક વાર જ ભોગવી શકાય છે તેને ભોગ કહે છે. જેમ કે ભોજન. જે વસ્તુને એક વાર ખાઈ લીધી તે વસ્તુને ફરીથી ખાઈ શકાતી નથી. ઉપભોગ અને કહેવામાં આવે છે કે જેમાં વસ્તુને વારંવાર ભોગવી શકાય છે. જેમ કે વસ્ત્ર, મકાન, સ્ત્રી વગેરે. એક જ વસ્ત્રને વારંવાર પહેરવામાં આવે છે. એક જ મકાન પુનઃપુનઃ ભોગવી શકાય છે. આ ભોગ અને ઉપભોગનું પરિમાણ કરવું એ બીજું ગુણવ્રત છે.
ત્રીજું વ્રત છે અનર્થદંડવિરતિનું. "અર્થ” એટલે અહીં પ્રયોજન ! જે પાપો પ્રયોજનથી કરવામાં આવે છે તેને – તે પાપને “અર્થદડ” કહેવામાં આવે છે. જે પાપ પ્રયોજન વગર કરવામાં આવે છે તેને અનર્થદંડ કહેવામાં આવે છે. પ્રયોજન અનેક હોય છે. ધર્મનું પ્રયોજન, સ્વજનનું પ્રયોજન, પોતાની ઇન્દ્રિયોનું પ્રયોજન...વગેરે..
પ્રયોજનથી પણ પાપક્રિયા કરવામાં આવે છે, એટલા માટે "દેડ” કહેવામાં આવે છે, અર્થદંડ ! પ્રયોજન વગર જે પાપ કરવામાં આવે છે તેને "અનર્થદંડ” કહેવામાં આવે છે.
આ અનર્થદંડ ચાર પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) અપધ્યાન – આચરિત (૨) પ્રમાદ આચરિત (૩) હિંસપ્રદાન અને (૪) પાપ કર્મોપદેશ – આ ચારે પ્રકારના અનર્થદડથી વિરતિ પામવી એ ત્રીજું ગુણવ્રત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org