________________
گا۔
ભાગ - ૧ કાઢો છો ને? સ્વામિવાત્સલ્યમાં પણ શું સાધર્મિકોનું ગૌરવ કરો છો ? જે સાધર્મિકો સાથે અણબનાવ હોય તેમની સાથે પ્રેમભાવ સ્થાપિત કરો છો ? સાધમિકોનો પરસ્પર પ્રેમભાવ વધતો જાય, પરસ્પરના ઝઘડા શાંત થાય એટલા માટે તો સ્વામિવાત્સલ્યની ધર્મક્રિયા બતાવવામાં આવી છે. પરંતુ તમે લોકો એ ક્રિયાના હાદને સમજતા નથી; એકાંગી બની ગયા છો ને?
બીજી વાત, જયારે બાર વ્રતો લેવાનાં છે, શ્રાવકધર્મ અંગીકાર કરવાનો છે ત્યારે કોઈ પણ મનુષ્યની સાથે વેરભાવ તો રહેવો જ ન જોઈએ. કોઈની પણ સાથે વેરભાવ હોય, તેને દૂર કરવો જ જોઈએ. આનાથી દયનિર્મળ બને છે, અને નિર્મળ દ્ધયમાં જ ધર્મ પ્રવેશ પામે છે. નિર્મળ હદયમાં ધર્મ ટકે છે અને વૃદ્ધિ પામે છે.
હવે મારે બાર વ્રતોનું સ્વરૂપ બતાવવું છે. એકાગ્ર મનથી સાંભળજો અને સમજવા પ્રયત્ન કરો. પછી વિચારો કે તમે વ્રત ગ્રહણ કરી શકશો કે નહીં! બાર વ્રતોઃ
બાર વ્રતોના ત્રણ વિભાગો બતાવવામાં આવ્યા છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત.
* અણુવ્રત એટલે મહાવ્રતોની અપેક્ષાએ નાનાં વ્રત. * ગુણવ્રત એટલે અણુવ્રતો ઉપર ઉપકાર કરનારાં વ્રત. * શિક્ષાવ્રત એટલે સાધુધર્મના અભ્યાસરૂપ વ્રત. અણવતઃ અણુવ્રતો પાંચ બતાવવામાં આવ્યાં છે. ૧. સ્થૂળ પ્રાણાતિપાતવિરતિ, ૨. સ્થૂળ મૃષાવાદવિરતિ, ૩. સ્થૂળ અદત્તાદાનવિરતિ ૪. સ્થૂળ અબ્રહ્મવિરતિ
( ૫. સ્થૂળ પરિગ્રહવિરતિ. પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય), અદત્તદાન (ચોરી), અબ્રહ્મ (મૈથુન) અને પરિગ્રહ આ પાંચ મહાપાપ છે.
આ પાપોથી આંશિક રૂપમાં વિરામ એટલે ‘વિરતિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org