SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૧ ૯૭ ઉત્સર્ગ અને અપવાદઃ બન્ને મળીને મોક્ષમાર્ગ : ઉત્સર્ગ માર્ગ – મૂળમાર્ગ ઉપર ચાલવાના વિશુદ્ધ ભાવ હૃદયમાં રાખીને શાસ્ત્રનિર્દિષ્ટ પદ્ધતિથી અપવાદમાર્ગનું સેવન કરવામાં આવે તો કોઈ દોષ નથી લાગતો. દેખાવમાં ભલે વ્રતભંગ લાગતો હોય પરંતુ તે વ્રતભંગ નથી કહેવાતો. જેવી રીતે કોઈ પદયાત્રી ચાલતાં ચાલતાં થાકી જાય અને કોઈ વૃક્ષ નીચે છાયામાં બેસે છે, કોઈ પથ્થરની શિલા ઉપર આરામ કરે છે અને ત્યાં રાત વ્યતીત કરે છે તો પણ તેની પદયાત્રાનો ભંગ થતો નથી. કારણ કે તે બેસે છે ચાલવા માટે ! ચાલવાનો ભાવ અખંડ છે તો બેસવું, સૂવું વગેરે દોષ કહી શકાય નહીં. એ જ રીતે મોક્ષયાત્રા કરવાનો ભાવ અખંડ છે, વ્રતપાલનનો ભાવ અખંડ છે અને કોઈ વાર સંજોગવશાત (જે છ કારણો બતાવ્યાં એ) વ્રતનું પાલન ન થઈ શકે તો પણ વ્રતભંગ કહેવાય નહીં. અપવાદોના સેવનમાં સાવધાની રાખવી પડે છે, એટલા માટે ઉત્સર્ગ-અપવાદનું સેવન જ્ઞાની પુરુષોના માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. હવે એક વિશેષ વિધિ બતાવીને ગ્રંથકાર પ્રસ્તાવના પૂર્ણ કરે છે, અને અણુવ્રત બતાવવાનો પ્રારંભ કરે છે. તથા તોપચારણ્ય | વ્રતમય ધર્મગ્રહણ કરવાનો પ્રારંભ લગ્નના પ્રસંગથી પણ વધારે મહત્ત્વપૂર્ણ સમજવો જોઈએ તમારે. લગ્ન તો ભવસાગરમાં ડૂબાડનાર છે ને ? વ્રતમય ધર્મ તો ભવ સાગરમાંથી તારનાર છે! તારનાર પ્રસંગને આનંદથી – ઉત્સવથી મનાવવો જોઈએ. એટલે તો ગ્રંથકાર આચાર્યદવ ઉચિત ઉપચાર” કરવાનું કહે છે. * પુષ્પ, ધૂપ, દીપક આદિથી પરમાત્માની પૂજા કરવી જોઈએ. * ગુરુ મહારાજને વસ્ત્ર-પાત્ર-પુસ્તકાદિ પ્રદાન કરવા જોઈએ. * સાધર્મિકોનો ભોજન-વસ્ત્રાદિથી સત્કાર કરવો જોઈએ. * દીન, અનાથ, અપંગ લોકોની ભોજનાદિથી સેવા કરવી જોઈએ. આ બધાંનો પ્રેમથી, આદરથી અને ઉમંગથી સત્કાર કરવો જોઈએ. આ વિષયમાં વિશેષ વાતો આગળ બતાવીશ. આજ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy