________________
૯૪
શ્રાવક જીવન
કરનાર, ભવસાગરથી તારનાર ધર્મ ગ્રહણ કરવાનો છે ને ! એ ધર્મનું પાલન કરવાનું છે, એટલા માટે તમામ બાબતો ઉપર લક્ષ આપવું આવશ્યક છે. આપણે અહીં પાંચ બાબતો ઉપર વિવેચન કરીશું. સર્વ પ્રથમ "યોગશુદ્ધિ" બતાવીશ.
યોગશુદ્ધિ :
અહીં પંચાંગના સિદ્ધિયોગ યા કુમારયોગની વાત નથી. અહીં તો વાત છે મન, વચન અને કાયાના યોગની. મનોયોગ, વચનયોગ અને કાયયોગની શુદ્ધિ થવી આવશ્યક છે. ગૃહસ્થધર્મ અંગીકાર કરવો છે. પવિત્ર કાર્ય કરવાં છે, એટલા માટે શરીર શુદ્ધ હોવું જોઇએ. શરીરની સાથે સાથે વસ્ત્રો પણ શુદ્ધ હોવાં જોઇએ. ઘરમાંથી નીકળીને જ્યાં ગુરુદેવ બેઠા છે તે ઉપાશ્રયે જતી વખતે ઉપયોગ રાખવો જોઈએ કે ક્યાંય પણ પગ અશુદ્ધિમાં પડી ન જાય.
બીજી જોઈએ વચનયોગની શુદ્ધિ. વ્રત ગ્રહણ કરતા પહેલાં, ગ્રહણ કરતી વેળાએ અને ગ્રહણ કર્યા પછી વાણી-વચન નિષ્પાપ રહેવાં જોઈએ. ક્રોધયુક્ત, માનયુક્ત તથા માયાયુક્ત વચન બોલવાં જોઈએ નહીં. એ જ રીતે અસત્ય અને અહિતકારી વચન ન બોલવાં જોઈએ. સત્ય, પ્રિય અને હિતકારી વચનો જ બોલવાં જોઈએ – આ છે વચનશુદ્ધિ.
જ્યારે તમે શુભ, પવિત્ર અને સુંદર વિચારો કરો છો ત્યારે તે શુદ્ધ મનોયોગ કહેવાય છે. વ્રત ગ્રહણ કરતી વખતે મન પ્રશાંત અને ઉલ્લસિત જોઈએ. વ્રતદાતા ગુરુ પ્રત્યે બહુમાન હોવું જોઇએ. શુભ ભાવ હોવા જોઈએ તથા વ્રતમય ધર્મ પ્રત્યે શ્રદ્ધાના નિર્મળ ભાવો હોવા જોઈએ." આ વ્રતોથી મારો આત્મા નિર્મળ બનશે એવા પ્રકારના પ્રશસ્ત ભાવ હોવા જોઈએ, આ રીતે મન, વચન અને કાયાના યોગોની શુદ્ધિ હોવી જોઈએ.
વન્દનશુદ્ધિ :
બીજી શુદ્ધિ જોઇએ વંદનની. વ્રત ગ્રહણ કરતી વખતે પરમાત્મા તથા ગુરુને વંદન કરવાનાં હોય છે. વંદનની ક્રિયાનાં સૂત્રો હોય છે. સૂત્રોચ્ચાર સ્ખલનારહિત કરવો જોઈએ. સૂત્રોચ્ચાર કરતી વખતે અલ્પવિરામ, પૂર્ણવિરામ આદિનું ધ્યાન રાખીને કચાં અટકવું, ક્યાં ન અટકવું વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બધાં જ સૂત્રો પરિપૂર્ણ બોલવાં જોઈએ. પ્રણિપાત પણ વિધિવત્ પંચાગ કરવો જોઈએ.
વ્રતગ્રહણ કરતી વખતે "કાયોત્સર્ગ” પણ કરવાનો હોય છે, તે શાન્ત ચિત્તે ક૨વાનો હોય છે.” નવકારમંત્ર”ના યા "લોગસ્સ સૂત્ર” ના – જેટલા કાયોત્સર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org