________________
૯૨
શ્રાવક જીવન
નથી અને અણુવ્રતાદિ જ ગ્રહણ કરે છે; ત્યારે ગુરુ મધ્યસ્થભાવ યાને સાક્ષીભાવ જ ધારણ કરે છે. શ્રાવક જેટલાં હિંસાદિ પાપો કરે છે, તેમાં અનુમતિ નથી હોતી અને જેટલાં પાપ નથી કરતો તેમાં તેમની ખુશી હોતી નથી ! તેઓ તો માત્ર સાક્ષીભાવ જ ધારણ કરે છે.
બે રહસ્યભૂત વાતો :
ટીકાકાર આચાર્યશ્રીએ બે વાતો મહત્ત્વપૂર્ણ બતાવી છે. પ્રથમ વાત "માવવનુષ્ઠાનસ્ય સર્વાંગસુંવરત્વેનાન્તતો ટોષવિત્ત્તાત્ । પરમાત્મા તીર્થંકર દેવનું કોઈ પણ અનુષ્ઠાન હોય, કોઈ પણ ક્રિયા હોય તે સર્વાંગ સુંદર જ હોય છે. સર્વથા દોષ રહિત હોય છે. કેટલી યથાર્થ વાત કરી છે ટીકાકાર આચાર્યદેવે ! આ વાતનો નિષ્કર્ષ એ છે કે આપણે પરમાત્મા તીર્થંકર દેવની પ્રત્યેક ક્રિયામાં સર્વાંગ સુંદરતા જોવાની છે. ન જોવા મળે તો શોધવાની છે. સુંદરતા અવશ્ય મળશે.
પરંતુ સૌદર્ય જેટલું વસ્તુ યા ક્રિયામાં નથી હોતું, એટલું જોનારની આંખોમાં હોવું જોઈએ ! દૃષ્ટિમાં સૌંદર્ય નહીં હોય તો વસ્તુ યા વ્યક્તિમાં તે દેખાશે નહીં. દોષવૃષ્ટિ
દોષ જોશે.
સભામાંથી :- જૈન ધર્મના જ એક પંથના આચાર્યે લખ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ પોતાનું અર્ધ દેવષ્ય બ્રાહ્મણને આપી દીધું હતું તે તેમની ભૂલ હતી. ભગવાન પણ ભૂલ્યા ?
મહારાજશ્રી :- અને તે આચાર્ય તો બધું જ ચૂકી ગયા ને ! તેમને દાનધર્મનો નિષેધ કરવો હતો, દયાધર્મનો નિષેધ કરવો હતો. તેથી તેમણે ભગવાનની પણ ભૂલ બતાવવાની કુચેષ્ટા કરી છે ! વાસ્તવમાં જોવામાં આવે તો તેઓ એક ઉજ્જડ મરુભૂમિના પ્રદેશના હતા. જેથી તેમનામાં સૌંદર્યસૃષ્ટિ હોઇ શકે તેમ ન હતું. તેઓ ઇચ્છતા હોત તો પણ ભગવાન મહાવીર સ્વામીની દાન ક્રિયામાં સૌંદર્યસૃષ્ટિ જોઇ ન શકત. તેઓ ક્રિયા દોષરહિત જોઇ શકતા હતા પરંતુ કેવી રીતે જુએ ? દૃષ્ટિમાં વિપર્યાસ હતો, વૃષ્ટિ બગડી ગઈ હતી ! દયા અને દાન– આ બંને ધર્મોનો તેમને છેદ ઉડાડવો હતો ! ખંડનનું પણ એક જોશ હોય છે અને જોશમાં હોશ રહેતો નથી. તીર્થંકર જેવા વિશિષ્ટ જ્ઞાની લોકોત્તર પુરુષની ભૂલ એક અજ્ઞાની વ્યક્તિ બતાવે છે !!
જે સમયે ભગવાને બ્રાહ્મણને દેવદૃષ્ય આપ્યું હતું એ સમયે ભગવાનને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન– આ ચારે જ્ઞાન હતાં. અને ભૂલ બતાવનાર એ સ્વામીને કેટલાં જ્ઞાન હતાં ? શું પૂરું શ્રુતજ્ઞાન પણ હતું ? ઠીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org