________________
શ્રાવક જીવન
થોડાક દિવસો પછી કૌમુદી મહોત્સવનો સમય આવ્યો. રાણીએ રાજાને કહ્યુંઃ ”નાથ, મારી ઈચ્છા છે કે હું મારા પરિવાર સાથે એટલે કે બાકીના અંતઃપુરની સાથે નગરના રાજમાર્ગો ઉપર રાત્રિએ પરિભ્રમણ કરું ! "રાજાએ સ્વીકૃતિ આપી દીધી અને નગરમાં પડો વગડાવ્યો કે "આજે સૂર્યાસ્ત પહેલા તમામ પુરુષો નગર બહાર ચાલ્યા જશે. રાત્રિના સમયે કોઈ પણ પુરુષ નગરમાં રહેશે નહીં.” રાજા પણ મંત્રીમંડળની સાથે તથા નગરની પ્રમુખ વ્યક્તિઓ સાથે નગર બહારના “મનોરમ” ઉદ્યાનમાં ચાલ્યો ગયો.
૯૦
પરંતુ શ્રેષ્ઠી સમુદ્રદત્તના છ પુત્રો નગરની બહાર જઈ શકયા નહીં. તેઓ પોતાની દુકાનના કામમાં અતિ વ્યસ્ત રહ્યા, “હમણાં જઈએ છીએ, હમણાં ચાલીએ છીએ....” કરતાં કરતાં જ્યારે તેઓ નગરના દરવાજે પહોંચ્યા તો દ્વાર બંધ થઈ ગયાં હતાં. તેઓ પોતાને ઘેર પાછા આવ્યા અને ભોંયરામાં સંતાઈ ગયા.
રાત્રિના સમયે રાણી ધારિણી સુંદર શણગાર સજીને અંતઃપુરની અન્ય રાણીઓ સાથે નગરમાં પરિભ્રમણ કરવા નીકળી. રાજમાર્ગો ઉપર ઠેરઠેર દીવાઓ ઝળહળી રહ્યા હતા. તમામ રાજમાર્ગો સ્વચ્છ હતા, દરેક સ્થળે તોરણો બાંધેલાં હતાં, સુગંધીયુક્ત જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. રાણીએ પ્રાતઃકાળ સુધી નગરમાં પિરભ્રમણ કર્યું. પછી રાજા અને પ્રજાએ નગરમાં પ્રવેશ કર્યો. રાજાએ નગ૨૨ક્ષકોને આદેશ આપ્યો કે "જાઓ, નગરમાં તપાસ કરો, મારી આજ્ઞાનો કોઈએ ભંગ તો નથી કર્યો ને ?”
નગ૨૨ક્ષકે તપાસ કરી, નગરશ્રેષ્ઠીના છ પુત્રોએ રાજ આજ્ઞાનું પાલન કર્યું ન હતું. એ નગ૨૨ક્ષકને ખબર પડી ગઈ. તેણે રાજાને નિવેદન કર્યું; રાજા અત્યંત ક્રોધાયમાન થયો; તેણે આજ્ઞા આપીઃ” એ આજ્ઞાભંજક છ છોકરાઓનો વધ ક૨વામાં આવે.”
આજ્ઞા સાંભળીને શ્રેષ્ઠી સ્તબ્ધ થઈ ગયો. તેનું ચિત્ત ભ્રમિત જેવું થઈ ગયું. અત્યંત વ્યથાથી પારાવાર વ્યથિત થઇ ગયો. પરંતુ તરત જ સ્વસ્થ થઈને નગરના મુખ્ય માણસોને સાથે લઈને, શ્રેષ્ઠ રત્નોનો થાળ ભરીને રાજાની પાસે ગયો. પ્રણામ કરીને તેણે કહ્યું ઃ- “મહારાજ, મારા પુત્રોનો કોઈ પણ દુષ્ટ આશય ન હતો. દુકાનનાં કાર્યોમાં તેઓ અતિવ્યસ્ત હોવાથી બહાર નીકળી શક્યા નહીં. નગરનાં દ્વાર બંધ થઈ ગયાં હતાં તેથી તેમનો અપરાધ ક્ષમા કરો. મારા પ્રિય પુત્રોને જીવનદાનની કૃપા કરો.” રડતાં, વિલાપ કરતાં આવી પ્રાર્થના કરવા છતાં રાજાનો રોષ શાન્ત થયો નહીં. વારંવાર પ્રાર્થના કરવા છતાં પણ રાજા ક્ષમા કરતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org