SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ રહેવાનું હોય છે. આજે તો કેન્દ્રમાં એક - બે નિષ્ઠાવાન કાયકર્તાઓ મળે છે. બાકી આખી ટીમ સારી હોય અર્થાત્ ધાર્મિક ભાવના ધરાવતી સેવાપ્રવૃત્તિ કરવાની ધગશવાળી હોય તેવો સમૂહ મળવો મુશ્કેલ છે તેથી કોલેજો કે યુનિવર્સિટીમાં જૈનધર્મના શિક્ષણની વ્યવસ્થા વિક્સે એવું આયોજન થાય તો પણ ઘણો લાભ થાય. યુનિવર્સિટીની ડીગ્રી મેળવવાનું મુખ્ય લક્ષ્ય તો આજીવિકા મેવવાનું સામાજિક પ્રતિષ્ઠા વધારવાનું મુખ્ય છે. તેથી માત્ર જૈનધર્મના શિક્ષણની વ્યવસ્થા કરવાથી એ માટેની શાળા-કોલેજો સ્થાપવાથી આપણો હેતુ પાર નહીં પડે. ધાર્મિક ડીગ્રી અને વહેવારિક વાસ્તવિકતા આ બંને બે છેડા છે. આપણે ગમે તેટલા ઊંચ આદર્શો ધરાવતા હોઈએ પણ આખરે તો વર્તમાન જીવનની કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ જોઇએ. જૈનધર્મ આચાર પ્રધાન છે તે હકીકત છે પરંતુ એનો અર્થ એવો નથી કે એના પ્રચારની - પ્રસારની જરૂર નથી. વિદેશમાં આપણા જૈનો ધાર્મિક શિક્ષણનું પ્રચાર-પ્રસારનું કામ કરી રહ્યા છે. તેમાંના જે ઉત્તમ અંશો હોય તેને આપણી અહીંની પરિસ્થિતિ મુજબ આવકારીએ અને એનો સાર્વત્રિક સ્વીકાર થાય તેવું વાતાવરણ સર્જીએ એ જરૂરી છે. શાસન પ્રભાવનાના, ધર્મ પ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં આપણે સૌ પૂરો રસ લઈએ અને તે માટેની સાચી દિશા આપણને પ્રાપ્ત થાય તો કશું જ અશક્ય નથી. આદર્શના ગગનમાં વિહરવાને બદલે આપણે વાસ્તવિક હકીકતનો સ્વીકાર કરી, થોડુંક પણ સમજપૂર્વકનું કામ કરશું તો અવશ્ય ખૂબ લાભ થશે એવી મારી શ્રદ્ધા છે. જ્ઞાનધારા Jain Education International ૬૨ Pit For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy