SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર કરવાની જરૂર છે. Think Globally, Act Locally એમ કહેવાયું છે તે આ સંદર્ભમાં યોગ્ય ગણાય. જગત આખું હિંસા, પરિગ્રહ, ઠંદ્ર અને કલહથી પીડિત છે ત્યારે એને માટે અહિંસા, અપરિગ્રહ, અનેકાન્તની ભાવના જેવા સિદ્ધાંતો જરૂરી છે. અફસોસ એટલો કે આપણે એ સિદ્ધાંતો જગતને આપ્યા નહિ. કોઈ મહાત્મા ગાંધી જેવી વિભૂતિ આવીને અહિંસા અને ક્ષમાની વાત કરે ત્યારે આપણે જાગી જઈએ અને અહિંસક પદ્ધતિનો વિચાર કરવા માંડીએ. આપણો સવાલ એ છે કે યુવાનોને કઈ રીતે ધર્માભિમુખ કરવા? યુવાનોને તમે થોડું પણ સાચા દિલથી આપશો તો તે તમને બમણું પાછું આપશે. પણ આપણે આ યુવાનોને આપ્યું છે શું? રોજ અમુક ધાર્મિક ક્રિયા કરવી એવા બંધનમાં એને બાંધી દીધો. માનવજીવન તો દુઃખનો સાગર છે એમ કહીને એને ભયભીત બનાવી દીધો. પરિણામે યુવાન ડર, ભય કે અણસમજથી ઘર્મપાલન કરવા લાગ્યો. ક્યારેક તો એવા પણ યુવાનો મળે છે કે એ ઉપાશ્રયમાં એ માટે જતા નથી કે એમને બાધા આપી દેશે એવો ભય હોય છે. એ દેરાસરમાં એ માટે જતા નથી કે એમને દેરાસરમાં થતી ક્રિયાઓનો અર્થ સમજાવવામાં આવ્યો નથી. ધર્મ એ બાંધનારું નહિ પણ ઊંચે આકાશમાં ઉડ્ડયન કરાવનારું તત્ત્વ છે. અહિંસાથી નિર્દોષ જીવન જીવતો, અપરિગ્રહની મસ્તીમાં રહેતો અને અનેકાન્ત દષ્ટિએ જોતો યુવાન તો ઊર્ધ્વગગનમાં ઉડ્ડયન કરવા માગે છે. આપણે એની પાંખો સીવી દીધી છે અને એના પગ બાંધી દીધા છે. ધર્મશૈલી દ્વારા મુક્ત આકાશમાં ઉડ્ડયન કરવાનું એ ભૂલી ગયો છે. આથી પહેલું કામ તો યુવાનોને ધર્મના સિદ્ધાંતો સમજાવવાનું અને એનામાં રહેલી વૈશ્વિકતા પ્રગટ કરવાનું છે. પરંતુ કોને ખબર હશે કે આચાર્ય હરિભદ્રસૂરિનું “પદર્શનસમુચ્ચય'એ ભારતીય તત્ત્વજ્ઞાનનો વિરલ ગ્રંથ છે? કેટલાને ખ્યાલ હશે કે શ્રી કુંદકુંદાચાર્યનું “સમયાસાર' કે આચાર્ય ઉમાસ્વાતિજીનું “તત્ત્વાર્થસૂત્ર'એ આપણી વિચારધારાનો પાયો બનવા જોઈએ? આજની બૌદ્ધિકતાને જ્ઞાનથી સ્પર્શી શકાય અને એટલે જ જેન તત્વજ્ઞાનની સમજ આપવી જરૂરી બને છે. કાનધારા) (૫૦ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) શાનધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy