SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિયા શ્રાવકની કથા હોય કે ચંપા સતીની વાત હોય, ગુરુ ગૌતમસ્વામીનું જીવન હોય કે આચાર્ય હેમચંદ્રનું સાહિત્યસર્જન હોય – આ બધાંમાં જેને જીવનશૈલી છે. આપણે જીવનની બારી ખોલીને ધર્મનો વિચાર કરવો જોઈએ. ત્યારે જ ખ્યાલ આવે કે દોષોના પ્રાયશ્ચિત્ત માટે પ્રતિક્રમણ, વેરના શમન માટે ક્ષમાપના, આત્માની લીનતા માટે સામાયિક અને સંકલ્પબળની દઢતા માટે પચ્ચકખાણ કેટલાં મહત્ત્વનાં છે? હું તો કહીશ કે જૈન સંસ્કારો આપવાનું સૌથી સબળ અને પ્રબળ સાધન જૈન કથાઓ છે. એ કથાઓને રસપ્રદરૂપે આલેખવામાં આવે તો સહુ કોઈના હૃદયને સ્પર્શી જાય. આ કથાઓમાંથી જૈન જીવનશૈલીનો ઘાટ પ્રગટે છે અને યુવાનોને એ પણ કહેવું પડશે કે ભામાશા, વસ્તુપાળ અને વિમળશાહ એ અનુક્રમે પરાક્રમી વીર, કુશળ તલવારબાજ અને મલ્લયુદ્ધમાં નિષ્ણાત હતા. આજે જાણે આપણે વીરતાથી પરવારી ગયા હોઈએ એમ અહિંસાને બદલે કાયરતાનો અંચળો ઓઢીને જીવી રહ્યા છીએ. જૈન ધર્મના બધા જ સિદ્ધાંતો વિજ્ઞાન પર આધારિત છે. ઉપવાસનું શરીરશુદ્ધિ માટે આયુર્વેદ અને એલોપેથીએ મહત્ત્વ સ્વીકાર્યું છે. ન્યૂયૉર્ક ટાઇમ્સ' એના લેખમાં એમ લખ્યું હતું કે એક સો વર્ષ જીવવું હોય તો ઓછું ખાઓ. આપણે ત્યાં ઉણોદરની વાત છે. જૈન ધર્મની પર્યાવરણ વિશેની જાગૃતિ જગતમાં અદ્વિતીય છે. આપણી જયણા એ હવેના જગતની જીવાદોરી બનશે. તો આપણે યુવાનોને જૈન ધર્મની ક્રિયાઓની પાછળ રહેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા જોઈએ. શાકાહારની મહત્તા સમજાવીને માંસાહારમાંથી ઉગારવા જોઈએ. જગત આખું આજે શાકાહારને પ્રમાણે છે ત્યારે જેને ધર્મની નસોમાં તો એનું લોહી હજારો વર્ષોથી વહે છે. યુવાનોને એક બાબતની ભારે ખીજ હોય છે અને તે દંભ કે આડંબરની. ધર્મમાં જ્યારે ખર્ચાળ મહોત્સવ જુએ, મોંઘી કંકોતરી જુએ ત્યારે એના હૃદયમાં વિચાર જાગે છે કે આટલા બધા ધનવ્યયની જરૂર નથી ? ધર્મમાં ક્યારેક ઘનને વ્યાસપીઠ પર બિરાજેલ જુએ ત્યારે યુવાન અકળાય છે. એવી જ રીતે ધર્મની નાની નાની બાબતોમાં ચાલતા મોટા ઝઘડાઓ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) SIનધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy