SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મહાન સ્વરૂપ છે. જિનાગમાં જીવનના ક્ષેત્રમાં નવો-સ્વર-સાજ અને શિલ્પ ઉમેરે છે. તેમાં ગ્રંથકારોએ જીવનનો સજીવ-યથાર્થ અને ઉજાગર દૃષ્ટિકોણ પ્રગટ કર્યો છે. જીવનોત્થાનની પ્રબળ પ્રેરણા પ્રગટ કરી છે. આત્માની શાશ્વત સત્તાનો ઉદઘોષ કર્યો છે અને તેની સર્વોચ્ચ વિશુદ્ધિનો પથ પ્રદર્શિત કર્યો છે. ડૉ. હર્મન જેકોબી, ડૉ. સુબ્રીંગ જેવા પ્રાશ્ચાત્ય વિચારકોએ આ સત્યનો સ્વીકાર કર્યો છે કે જિનાગમોમાં દર્શન-જીવન, આચાર-વિચાર અને ભાવના ને કર્તવ્યનો જે સુંદર સમન્વય થયો છે તે બીજા સાહિત્યમાં દુર્લભ છે. એક જ ઉદાહરણ લઈ તો ૩૬૦૦૦ શ્લોક પ્રમાણ ભગવતીસૂત્રમાં, વિશ્વવિદ્યાની કોઈ એવી શાખા નથી કે જેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમાં ચર્ચા થઈ ન હોય. યુવાનોને ધર્માભિમુખ કરવા હશે તો તેમને આ જ્ઞાનનો ખજાનો ખોલીને બતાવવો પડશે અને સમજાવવું પડશે કે હાલનું વિજ્ઞાન પુદ્ગલ દ્રવ્ય સંશોધન વિષે ઘણું આગળ વધ્યું છે એમ મનાય છે પરંતુ જેના દર્શનો વિરાટ જ્ઞાન ખજાના એ તો પુદ્ગલ દ્રવ્યના પાંચ વર્ણો, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, પરમાણુ અને સ્કન્ધ પરિમાણો બે પ્રકારનું સ્થર્ય, ૬ પ્રકારના શબ્દો, પાંચ પ્રકારનો ભેદ, અંધકાર, છાયા, આતપ, ઉદ્યોત વગેરે સ્કંધગત પરિણામો બતાવ્યા છે. “આ શોધ પાસે વિજ્ઞાનની શોધતો પાશેરામાં પહેલી પૂણી” જેવી છે. સર્વજ્ઞ પ્રણિત અને ગણધરભગવંત રચિત આ દ્વાદશાંગીમાં જીવનની દરેક વિચિત્ર ઘટનાઓનું મુખ્ય કારણ એવા કર્મ સિદ્ધાંતની અત્યંત સ્પષ્ટ અને સૂક્ષ્મ સમજણ આપી છે. આજનો યુવાન આ જ્ઞાનસમૃદ્ધિના દર્શન કરતાની સાથે જ મંત્ર મુગ્ધ થઈ જશે. ને વેચ્છાએ તેને શરણે થઈ જશે. યુવાનોને ધર્માભિમુખ કરવાનો ત્રીજો ઉપાય એ છે કે ધર્મનું મૂળ સ્વરૂપ જ તેમની સમક્ષ પ્રગટ કરવું. તેમને સત્ય ને સીધો માર્ગ જ બતાવવો. આ રીતે એ ડગ માંડશે પછી શુદ્ધ ધર્મ જ તેનો હાથ પકડી આગળ લઈ જશે. એટલે કે વડિલોએ આજનો યુવાન પોતાનાથી વધુ શક્તિશાળી છે એ સ્વીકારી લેવું પડશે. એક નાનકડા કોમ્યુટર પર આંગળીઓ ચલાવી આજનો યુવાન કેટલાય મોટા સોદાઓ કરી લે છે. દુનિયાના વિવિધ ક્ષેત્રમાં રજ્ઞાનધારા ૪૭ | (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy