SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, દષ્ટિગોચર થતી પરિણામલક્ષી - હેતુલક્ષી બાબતો તરફ સહજપણે યુવાનો આકર્ષાય છે. ધર્મની બાબતમાં પણ આ સમીકરણ જ લાગુ પડે છે. અને તે માટે જે પ્રયાસો કરવાના રહેશે તે સૌ પ્રથમ ધર્મની મૂળભૂત બાબતો - સદાચાર અને નૈતિક મૂલ્યોનો વડીલો અને આગેવાનોની જીવનશૈલીમાં આચરણરૂપ અભિગમ અને સાથોસાથ સંતાનોને આ વિષે સમજણ અને આગ્રહ. આ અભિગમ હશે તો જે તે સમયે કદાચ અપેક્ષિત લાભ - ફળ કે પરિણામ પ્રાપ્ત ન થાય તેવું જણાશે પરંતુ દીર્ઘકાલીન અસરો અને સ્થિતિ તો માનવજીવન માટે શાંતિ - આનંદ અને સંતોષના કારણરૂપ બની રહેશે જ. એક વખત આ માર્ગે પ્રયાણ કર્યા પછી જીવનના પ્રત્યેક વ્યવહારો, પ્રસંગો - સંયોગોમાં ધર્મનું નિરૂપણ - ધર્મનો આંતરક્ષેપ થતો રહેશે. પરોપકાર, દયા, ક્ષમા, વિવેક, બુદ્ધિ વગેરે ગુણો ખીલી ઊઠશે. ઈચ્છા મન સ્વરૂપમાં હોય, ત્યારે જિજ્ઞાસા રહે છે. આ જિજ્ઞાસામાં તાકાત રહેલી છે, બસ આ છે ધર્માભિમુખતાનો પ્રારંભ, આ છે ધર્મ દીક્ષા. ઘર્મ પ્રત્યે વિચારશક્તિ અને જિજ્ઞાસા વૃત્તિ યુવાનોમાં ઉદ્ભવે છે તેને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો વિચારણામાં લઈ શકાય. ધર્માભિમુખ થવા માટેના કેટલાંક પરિણામલક્ષી ઉપાયો અને કાર્યક્રમો : ૧. સદાચાર અને નીતિમય જીવન જીવવા માટે જેઓ પુરૂષાર્થ કરી આગળ વધેલ છે તેઓની કૌટુંબિક ક્ષેત્રે પ્રશંસા - અનુમોદન, સામાજિક ક્ષેત્રે અભિવાદન અને પ્રોત્સાહન આપતા જાહેર કાર્યક્રમો. ૨. જૈન તત્ત્વદર્શનની પ્રાથમિક સમજણ અને તેના વ્યાવહારિક અને વૈજ્ઞાનિક અભિગમની સમજણ આપતા કલાસ. ૩. પરંપરાગત ધાર્મિક ક્રિયાકાંડની પારમાર્થિક અને હેતુલક્ષી સમજણ આપતા કાર્યક્રમો. ૪. સત્યુરુષોની જીવનકલા આધારીત પુસ્તકોનું સામૂહિક શિષ્ટ વાંચન અને જ્ઞાનધારા (૪૦) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy