SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન એકતા, સંગઠન અને સંવાદિતા (શ્રી મનોજ જૈન, એમ.એ. મહાવીર અધ્યયન કેન્દ્ર જ્ઞાનતીર્થ કોબા ગાંધીનગરમાં જૈન જ્ઞાન ભંડારની પ્રાચીન તથા તાડપત્રીય હસ્તપત્રોની જાળવણી અને સંપાદન સંશોધનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. કૈલાસસુરિસાગર જ્ઞાનમંદિરના ત્રૈમાસિક પત્રનું સંપાદન કરે છે.) જ્ઞાનધારા વર્તમાન જૈન ધર્મસંઘની સંસ્થાપના પરમાત્મા શ્રી મહાવીર દ્વારા થયેલ છે. આ સંઘની વ્યવસ્થા પ્રણાલી વિશ્વમાં અજોડ છે. જેમ જૈનતત્ત્વજ્ઞાન સંસારમાં સર્વશ્રેષ્ઠ છે તેમ તેના ચતુર્વિધ સંઘની રચના પણ તુલનાએ અનેક રીતે વિશિષ્ટ છે. આ સંઘની શક્તિઓનો સુચારુ સમન્વય થાય તો તેના ઘણાં સુન્દર પરિણામો ઉપજાવી શકાય છે. કલિયુગમાં સંગઠનમાં શક્તિ રહેલી છે એવું જે કહેવાયું છે તે વાસ્તવિક છે. જૈન સંઘના ચારેય ફિરકાઓ પાસે જે શક્તિ સામર્થ્ય રહેલા છે તે જો એક થઇને બહાર આવે તો જૈન તરીકે તેના અતિ ઉત્તમ પરિણામ લાવી શકાય છે. વર્તમાન જૈન સંઘની સ્થિતિને જોતા આપણી ઓળખાણ ઝાંખી થયેલી જણાય છે. તેનું કારણ પણ નજર સામે જ છે કે આપણે સંગઠિત થઇને વિશ્વ સમક્ષ નથી રહ્યા. મનોજ ર. કોઈપણ સમુદાયને આજે વિશ્વના પ્રવાહ સામે ટકવા માટે વર્તમાન સ્થિતિને લક્ષમાં લઈને તદનુરુપ પોતાને સુસંકલિત અને સુસજ્જ થવું પડે છે. જૈન તરીકે આપણે આ દિશામાં અવશ્ય પ્રયત્ન કરવા જોઇએ. તે માટે જૈન એકતા અને સંગઠન દ્વારા સંવાદિતા ઊભી કરીને આપણે સમગ્ર સંસારમાં પોતાની આગવી છાપ ઊભી કરી લેવી સમયોચિત ગણાશે. આજે જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International ૧૭ જૈન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy