SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દા.ત. (૧) આપણે મોટાં શહેરોમાં સાધુ સાધ્વીને લઘુશંકા અને વડી શંકા માટે સંડાસના ઉપયોગનો સુધારો દાખલ કર્યો તે ખૂબ જ ઔચિત્યપૂર્ણ છે. (૨) આપણે માઈક વાપરવાની છૂટ આપી જેનો ઉપયોગ સાધુ સાધ્વી પોતાના સંપ્રદાયના આચાર્યની આજ્ઞા પ્રમાણે કરે છે. સંમેલનનું સ્વરૂપ ભારતવર્ષમાં જૈન ધર્મને ચાર પ્રકારે પાળવાવાળા જૈનો છે. તેમાં વિવિધ ભાષાઓનો પણ સમાવેશ થાય છે. મુખ્યત્વે શ્વેતાંબર સ્થાનકવાસી, શ્વેતાંબર, મૂર્તિપૂજક, દિગંબર અને તેરાપંથ મુખ્ય છે. ભટ્ટારક પ્રથાવાળા મૂળબ્રિદ્રી - કર્ણાટક અને તેની આજુબાજુના પ્રદેશોમાં છે. આ બધા સમુદાયોના પોતપોતાના અખિલ ભારતીય સ્તરનાં મહામંડળો છે. દા.ત. અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, ઘણાબધા મતભેદો હોવાથી જૈનધર્મના બે ફિરકાઓને ભેગા કરવા એ પણ ભગીરથ કાર્ય છે. આપણે અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સથી શરૂઆત કરીએ. આપણું ધ્યેય માત્ર અત્યારના સમયમાં જૈનધર્મની રૂઢીગત સ્થિતિ અને રીતરીવાજોનો વિચાર કરીએ તો પણ ઘણું કાર્ય થશે. આપણે બીજા માટે દાખલારૂપ બની શકીશું. તેઓને પણ આપણામાંથી પ્રેરણા મળશે. હું આ માટેનું કાલ્પનિક સ્વરૂપ આપની સમક્ષ રજૂ કરૂં છું. અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સને પ્રથમ દેશના પાંચ વિભાગમાં વહેંચી નાખવી. (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) મધ્ય (૪) ઉત્તર (૫) દક્ષિણ. અહીં ભારતભરમાં ગુજરાતી બોલતા જૈનો અને ગુજરાત બહાર જઇને વસેલા જૈન ધર્મ પાળતા જૈનોને સમાવિષ્ટ કરી શકાય. થોડું વિસ્તૃત સ્વરૂપ આપવા માટે ભાષાઓનો ઉમેરો કરી શકાય. જ્ઞાનધારા Jain Education International ૧૫ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy