SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (ડ) નાના ઉદ્યોગોના વિનિમય, વેચાણ અને નિકાસના ક્ષેત્રમાં બને તેટલી મદદ. સંમેલનનું મહત્ત્વ દશવૈકાલિક સૂત્રમાં ભગવાન મહાવીરના સમયની પરંપરા જે શ્રુતજ્ઞાન દ્વારા ચાલી આવતી હતી તેને લંબાણના સ્વરૂપમાં મૂકવામાં આવી. આમ કરવાથી ભાવિ પેઢી ચોક્કસ નિયમોનું પાલન કરી શકે. હવે અભ્યાસ કરતાં જણાય છે કે ભગવાન મહાવીરના સમયની સામાજિક, રાજકીય, ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિ આજની પરિસ્થિતિ કરતાં જુદી હતી. હાલમાં તેમાં ઘણા ફેરફારો થયા છે. તે સમયે અન્ય ધર્મો – મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી વ. નું અસ્તિત્વ હતું કે નહીં તેનો કોઇ ઉલ્લેખ નથી. હાલમાં આ બીજા ધર્મો ભારતમાં ખૂબ જ સારી રીતે ફેલાયેલ છે. તફાવતો નીચે પ્રમાણે છે. (૧) પહેલાના વખતમાં વિહાર કરતી વખતે નદી-નાળા આવે તો ચોક્કસ નિયમ અને પ્રાયશ્ચિત્ત સાથે પાર કરવાની વાત હતી. આજના યુગમાં નદીઓ ઉપર પૂલો બંધાઈ ગયા છે. (૨) ભગવાન મહાવીર તેમજ શિષ્યગણ ગોચરી માટે ચોક્કસ નિયમો સાથે ગોચરી ગમે ત્યાંથી સ્વીકારતા હતા. હાલમાં આપણો જૈન સમાજ તે કાર્ય કરે છે. (૩) ભગવાન મહાવીરના સમયમાં બૌદ્ધ ધર્મ અને વૈદિક ધર્મની શાળાઓ હતી. અત્યારે આપણે ત્યાં અણુની ધર્મસભા પણ છે. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ-સ્થાન ન જોતાં એક સર્વ સામાન્ય કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવી જોઇએ. આ માટે આવા સંમેલનોની જરૂરીઆત છે. જેમાં કાર્યક્રમની રૂપરેખા નક્કી કરીને દર વર્ષે ચોક્કસ ફેરફારોને સ્વીકારીને તેનો સંપૂર્ણ અમલ જૈન સમાજમાં થાય તે જોવું અત્યંત જરૂરી છે. જ્ઞાનધારા Jain Education International ૧૪ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy