SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) સંઘનાં કાર્યો અને અન્ય બાબતોમાં ડખલગીરી કરવી. (૫) જ્ઞાનનો ઉપયોગ અર્થઉપાર્જન માટે ન કરવો. (૨) અણુવ્રતધારી શ્રાવક શ્રાવિકાઓની ખામીઓ. (ક) વ્યક્તિ તરીકેની ત્રુટિઓ (૧) દેખાદેખીની અસરથી ધર્મ કરતાં અધર્મ વધારે. (૨) બીજા ધર્મોની સરખામણીમાં આપણો ધર્મ ઉણો ન રહી જાય તે માટે કાર્યક્રમોનું આયોજન અને નકલ. (૩) સાચું જ્ઞાન મેળવવાની તીવ્રતા નહિવત. (૪) ધર્મસ્થાનકમાં સાધુ-સાધ્વી પાસે પોતાની, પોતાના કુટુંબની કોઈ પણ બાબતની ચર્ચા કરી માર્ગદર્શન મેળવવું. નિકટતા કેળવવી. (૫) જૈન ધર્મની શિક્ષા પ્રમાણે આચારનો અભાવ. (ખ) સંઘ તરીકેની ત્રુટિઓ (૧) ઘણું બધું અનામત ભંડોળ હોવાથી બિનજરુરી બોલીઓ બંધ કરવી. (૨) સાધુ-સાધ્વીની પાલખી નિમિત્તો બોલી બંધ કરવી. (૩) સાધુ-સાધ્વીના રોકાણ અને વિહાર દરમ્યાન તેમના જીવન અને શીલની સુરક્ષાનો પૂરેપૂરો ભાર ઉઠાવવો. (૪) નાના સંઘોને મદદ કરીને તેમને પણ ધર્મનો લાભ આપવો. (૫) માત્ર આયંબિલ શાળા, માનવરાહત કે દવાખાના ફંડ વ. કાર્યોની સાથે સમાજના ઉત્સાહી અને ઉત્કર્ષ માટે સતત પુરુષાર્થ કરતા સાધર્મિક ભાઈઓ માટે દરેક પ્રકારે મદદ કરવી. દા.ત. (અ) રોજગાર વિનિમય યોજના. (બ) બેંક અગર નાણાંકીય સંસ્થાઓ પાસે ૠણ લેવા માટે જરૂરી માર્ગદર્શન (તે ક્ષેત્રના નિવૃત્ત સેવાભાવી નાગરિકો પાસેથી) (ક) કાયદાની સલાહ મફત અગર રાહત દરે. ૧૩ જ્ઞાનધારા Jain Education International For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy