SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સાધુ-સાધ્વીઓ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની અખંડ આરાધના કરે. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ અને એષણા સમિતિમાં વિશેષ સાવધાન રહે. ચાલતાં સમયે વાત ન કરે. સાવદ્ય ભાષા ન બોલે. આહારપાણી પૂરી જાણકારી કરીને લે. શુદ્ધ આહાર પણ દાતાના મનની ભાવના જોઈ, આનાકાની – આગ્રહ કરાવીને લે. વસ્ત્ર - પાત્ર વગેરે લેતા ને રાખતા સમયે તથા પૂજવામાં અને પરઠવામાં સંપૂર્ણ સાવધાની રાખે. પ્રતિલેખન (પલેવણ) અને પ્રતિક્રમણ કરતી વખતે વાત ન કરે. ૮. ૨ જિનભાષિત ધર્મ ભિક્ષુ સ્વામીએ સૂત્ર-સિદ્ધાંત જોઇને સમ્યફ શ્રદ્ધા અને આચારની પ્રરૂપણા કરી. ત્યાગ ધર્મ - ભોગ, અધર્મ, વ્રત - ધર્મ - અવત અધર્મ, (ભગવાનની) આજ્ઞા ધર્મ - અનાશા અધર્મ, અસંયતિના જીવવાની ઈચ્છા કરવી તે રાગ, મરવાની ઈચ્છા કરવી તે દ્વેષ અને સંસાર સમુદ્રથી તરવાની ઈચ્છા કરવી તે વીતરાગ પ્રભુનો ધર્મ છે. ૮. ૩ મર્યાદાથી સાધના સફળ થાય - ભિક્ષુસ્વામીએ ન્યાય, સંવિભાગ અને સમભાવની વૃદ્ધિ થાય તે માટે તથા પારસ્પરિક પ્રેમ રહે, કલહ ન થાય, અને સંઘની સુવ્યવસ્થા રહે તે માટે અનેક પ્રકારની મર્યાદાઓ કરી, મૂળમાં એમણે નીચેની પાંચ મર્યાદાઓ - નિયમો લખ્યા હતા. (૧) સર્વ સાધુ - સાધ્વીઓ એક આચાર્યની આજ્ઞામાં રહે. (૨) વિહાર, ચાતુર્માસ આચાર્યની આજ્ઞાથી કરે. (૩) પોત પોતાના શિષ્ય (શિષ્યાઓ) ન બનાવે. (૪) આચાર્ય પણ યોગ્ય વ્યક્તિને દીક્ષતિ કરે. દીક્ષિત કર્યા પછી પણ કોઇ અયોગ્ય નીકળે તો એને ગણથી અલગ કરે. (૫) આચાર્ય પોતાના ગુરુભાઈ અથવા શિષ્યની પોતાના ઉત્તરાધિકારી તરીકે ચૂંટણી કરે એને બધાંજ સાધુ-સાધ્વીઓ સહર્ષ સ્વીકારે. (જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy