SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ૪ સિદ્ધાંતની એકરૂપતા ગણની એકતા માટે એ આવશ્યક છે કે એના સાધુ - સાધ્વીઓમાં સિદ્ધાંત અગર પ્રરૂપણા (અર્થઘટન-માન્યતા)માં કોઈ મતભેદ ન હોય. એને માટે ભિક્ષુસ્વામીએ કહ્યું હતું કે, “શ્રદ્ધા, આચાર, કલ્પ અથવા સૂત્રનો કોઈ વિષય પોતાની સમજમાં ન આવે અથવા કોઈ નવો પ્રશ્ન ઊભો થાય તો આચાર્ય અને બહુશ્રુત (વિદ્વાન) સાથે એની ચર્ચા કરવી જોઇએ. પરંતુ બીજા કોઈ સાથે એની ચર્ચા કરી એને શંકાશીલ ન બનાવવા જોઇએ. આચાર્ય અને બહુશ્રુત સાધુ જે ઉત્તર આપે તે પોતાના મનમાં જચે (બેસે) તો માની લે ને ન જચે તો એને “કેવલી-ગમ્ય' કરી દે (કેવલજ્ઞાની ભગવાનને ભરોસે છોડી દે), પણ ગણામાં ભેદ ન પાડે. પરસ્પર દલબન્દી (અલગપક્ષ) ન કરે. ૮. ૫ પરસ્પર સૌહાર્દ “ગણમાં જેટલા સાધુ-સાધ્વી છે એ બધામાં પરસ્પર સૌહાર્ટ રહેવા જોઈએ, કોઇ પરસ્પર કલહ ન કરે તથા ઉપશાંત કલહની ઉદીરણા ન કરે.” ભિક્ષુસ્વામીએ કહ્યું કે : “ગણના કોઈપણ સાધુ-સાધ્વી પ્રત્યે અનાસ્થા ઉપજે, શંકા ઉપજે એવી વાત કરવાના ત્યાગ છે. કોઈમાં દોષ દેખાય તો તત્કાલ એને બતાવી દે પણ એનો પ્રચાર ન કરે, દોષોને ચૂંટી ચૂંટીને ભેગા ન કરે. જે દોષ જાણવામાં આવ્યો હોય તેને અવસર જોઇ તરત જ બતાવી દે. બહુ સમય પછી દોષ બતાવે તે પ્રાયશ્ચિત્તના ભાગી (જવાબદારી છે તથા કોઈ સાધુ - સાધ્વી માટે જાતિ-કુળ વગેરેના કારણે તુચ્છકાર કે તિરસ્કાર કે અપમાનજનક વાત ન કરે. અંદર અંદર ખટરાગ (કલાહ) જાગે એવા શબ્દો ન બોલે તથા એકબીજામાં સંદેહ ઉત્પન્ન ન કરે. ગણ તથા ગણની ગુણરૂપ વાતો કરે. જો કોઈ ગણ અથવા ગણિની ઉતરતી (હલકી) વાતો કરે તો એને ટોકે અને એણે જે વાત કરી હોય તે આચાર્યને કહે. જો કોઈ ઉતરતી (હલકી) વાત કરે ને બીજો એ સાંભળે તો બંને અવિનીત છે. જે આજ્ઞાને સર્વોપરી માને છે તેજ વિનીત છે. જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy