SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંયા ક્રિકેટ રમવા આવે. લોકો હારેલાની હંમેશા હુરિયો બોલાવતા હોય પણ અમે કહીએ ભારતની સંસ્કૃતિ છે, હારેલાનો હુરિયો ન બોલાવાય. અમે સામેથી તેમને પુષ્પ લઈ મળવા જઈએ અને આ જ કારણે અહિંયા વિદેશી જુવાન દર્શનાર્થીઓની સંખ્યા વધારે છે. આ દર્શન છે. આપણે આપણા યુવાનોને લાવવા હશે તો ધર્મને નથી લઈ જવાનો પણ, પ્રેમને લઈ જવાનો છે. યુવાન પ્રેમને વશ થશે. એમને થોડું માંગશો તો થોડું આપશે, પણ વધુ આપશો તો સઘળું જ આપી દેશે અને જરાપણ વિલંબ નહીં કરે. એ યુવાનોમાં તેજસ્વિતા, તત્પરતા અને તપસ્વિતા ત્રણે વધવી જોઈએ. માટે પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ને મારું નિવેદન છે કે એક એવું નક્કર આયોજન થાય કે જેને પરિણામે આવનારી પેઢીને કાં તો સારાં પુસ્તકો મળે, કાં સારા ગ્રંથો મળે, કાં તો બાળકોને ગમતી વાર્તાઓ મળે... આ બધું મળશે તો જ આપણી આવતી કાલ અને આપણા સંસ્કાર ઉજળા છે, નહીં તો પેલી છોકરીનો પ્રશ્ન યાદ કરો. આનામાં અને મારામાં ફરક શું છે? કશો ફરક નથી. એ પણ માણસ છે અને હું પણ માણસ છું. જો સંસ્કાર નથી તો શૂન્ય છીએ. - શાનદાર) શનિવાર (૨૧૩) ૨૧છે ઉનસાહિત્ય જ્ઞાનસત્ર-છે જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy