SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર જૈન...! ૯૩માં પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રીબીજીયનમાં એક સ્ટોલ રાખવામાં આવ્યો, એ સ્ટોલનું નામ નહીં સ્થાનકવાસી કે નહીં દેરાવાસી. એ સ્ટોલનું નામ હતું માત્ર Jain's! પણ આપણે હજુ વિખરાયેલા છીએ. હજુ આપણે વિખવાદમાં છીએ ત્યારે આ યૌવનને.. ‘કાયામાં કામ હજુ જાગ્યો ન જાગ્યો... ત્યાં રૂદિયામાં રામ ગયો જાગી’. આજે TV સાહિત્ય અને અખબારોનું મોટું આક્રમણ છે અને યૌવન એટલે જીવનની વસંત! અને એ વસંતનો કોઈ આરાધ્ય દેવ હોય તો તે કામદેવ! અને પરિણામે એક બીજું સત્ય ચૂકાઈ ગયું અને એ સત્ય છે. યુવાન માનસમાં રહેલો રામ! હજુ જીવનમાં કામ જાગે ત્યાં તો રૂદિયામાં રામ જાગે! અને એ રામવૃત્તિ જાગે કારણ કે, ભારતનું આત્મતત્વ પણ જે અધિષ્ઠિત થયું છે તે છે અધ્યાત્મ! એ ધ્રુવ હોય, પ્રહ્લાદ હોય, શંકરાચાર્ય હોય, આચાર્ય હેમચંદ્ર હોય કે યશોવિજયજી મહારાજ સાહેબ હોય! આ બધામાં બહુ નાની ઉંમરથી જ અધ્યાત્મનો ઉઘાડ થયો છે. જૈનધર્મ એ કાંઈ ચીમળાયેલું ફૂલ નહીં, પણ સદાબહાર, સદા પ્રસન્ન એવું નવપ્રફુલ્લિત પુષ્પ હોવું જોઈએ ! અને એ સમયે વ્યાપક દર્શનની જરૂર છે? વ્યાપક દર્શન એટલે શું? હું લંડનના સ્વામિનારાયણ મંદિરમાં ગયો. મેં પ્રશ્ન કર્યો. તમે આવડું મોટું મંદિર બનાવ્યું એમાં વચમાં આટલું મોટું Play Ground શા માટે બનાવ્યું ? રમતનું મેદાન શું કામ બનાવ્યું ? મને કહે, કુમારપાળ! જરા વિચારો! આજે જે યુવાનો અહિંયા Play કરવા આવશે તે કાલે પછી Pray કરવા આવશે. અહિંયા રમવા આવશે અને ધીરે ધીરે મંદિરમાં દર્શન કરવા આવશે. જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International ૨૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy