SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સેવાની આગવી વ્યવસ્થા રોગી, વૃદ્ધ, ગ્લાન તથા નવદીક્ષિત સાધુ સાધ્વીઓની અગ્લાનપણે સેવા કરવાનો એક અનોખો અભિગમ અહીં દષ્ટિગોચર થાય છે. તેરાપંથ સંઘમાં સેવા-ચાકરીને સર્વોચ્ચ સ્થાન છે. સેવાની ફરજમાંથી કોઈને મુક્તિ નથી. બધાં જ સરખા છે. પણ આ ફરજ કોઈ બોજો નથી. અહીં તો જ્યાં રોગી, વૃદ્ધ આદિ સંતોના સ્થિરવાસ છે એવા સ્થાનોમાં ચાતુર્માસ આદિ મેળવવા બધાં જ સાધુસાધ્વીઓમાં હોડ જામે છે. આવી આગવી વ્યવસ્થાને કારણે કોઈ પણ સાધુને ભવિષ્યની કે વૃદ્ધાવસ્થાની ચિંતા નથી. આ ચિંતા સંઘપતિ પર છોડી બધા જ સુખે સુખે નિશ્ચિત થઈને સંયમની સાધના કરે છે. અનુશાસનનું સર્વોચ્ચ ઉદાહરણ મહાસુદ સાતમના આ પવિત્ર દિવસે સકળ સંઘ વચ્ચે આચાર્ય ભગવંત તેરાપંથ સંઘના પ્રણેતા આચાર્ય ભિક્ષુ રચિત મર્યાદા પત્રનું વાંચન કરે છે. આ મર્યાદા-પત્ર જ આ મર્યાદા મહોત્સવનું હાર્દ છે. આ વખતનું દશ્ય તો જોવા જેવું હોય છે. લગભગ ૫૦૦ શ્વેતવસ્ત્રધારી સાધુ સાધ્વીઓ અને સમણ-સમણીઓ દીક્ષાના ક્રમમાં પંક્તિબંધ બધ્ધાંજલિ આચાર્ય ભગવંતની સન્મુખ ઊભા રહી પોતે લીધેલી પ્રતિજ્ઞાઓનુ સામૂહિક પુનરુચ્ચારણ કરે છે. એ આ પ્રમાણે છે. “હું સવિનય હાથ જોડીને પ્રાર્થના કરું છે કે શ્રી ભિક્ષુ, ભારમલ, આદિ પૂર્વ જ આચાર્ય તથા વર્તમાન આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી દ્વારા રચિત સર્વ મર્યાદાઓ મને માન્ય છે. આજીવન એને લોપવાનો ત્યાગ છે. ગુરુદેવ! આપશ્રી સંઘના પ્રાણ છો, શ્રમણ પરંપરાના અધિનેતા છો. તમારા પર મને પૂર્ણ શ્રદ્ધા છે. તમારી આજ્ઞામાં ચાલવાવાળા સાધુ સાધ્વીઓને હું ભગવાન મહાવીરના સાધુ - સાધ્વીઓની સમાન શુદ્ધ માનું છું. મને પોતાને પણ શુદ્ધ સાધુ માનું છું. તમારી આજ્ઞા લોપવાવાળા (ઉલ્લંઘન કરવાવાળા)ને સંયમ માર્ગથી પ્રતિકૂળ માનું છું. જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy