SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વિવાદને સ્થાન નથી. તે છતાં વ્યવહારની ધરા પર તો પરંપરા, સંઘ અને સાધના આ ત્રણેયનો ત્રિવેણીસંગમ કર્યો. પણ પ્રધાનતા નિષ્કર્મને આપી. પ્રતિષ્ઠા માટે પદ માટેના સંઘર્ષનો મૂળમાંથી નાશ કર્યો. આજે તેરાપંથ સંઘમાં એક આચાર્ય સિવાય બીજા કોઈ પદની સ્થાપના થતી નથી. સંવિભાગનું અદ્ભુત ઉદાહરણ આચાર્ય ભિક્ષુએ પ્રથમ મર્યાદાઓ લખી ત્યારબાદ બરાબર ૧૦૦ વર્ષ પછી ચતુર્થ આચાર્ય જયાચાર્યે ‘સંવિભાગ’ Equal Division H અદ્ભુત નિયમો બનાવ્યા અને નીચેની પ્રત્યેક વસ્તુનું સરખે ભાગે વિભાજન કરવા મર્યાદાઓ બનાવીઃ ૧. પુસ્તક - પાનાં ૨. શ્રમ સેવા ૩. સ્થાન ૪. આહાર ૫. ધર્મોપકરણ - ૬. વસ્ત્ર આદિ. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘અસંવિભાગી ન હું તરસ મોક્ળો' અર્થાત્ અસંવિભાગી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ નથી થતી. આ બધા નિયમોથી આજ સુધી તેરાપંથ સંઘમાં એક અનોખો સમાજવાદ અમલમાં આવ્યો છે. જેની પ્રશંસા શ્રી જયપ્રકાશ નારાયણે પણ કરી હતી. Jain Education International 1 જો આચાર્ય ભિક્ષુ અને જયાચાર્યની વ્યવસ્થા તથા માર્ક્સવાદનો એક સાથે અભ્યાસ કરવામાં આવે તો લાગશે કે માર્ક્સ જે રાજનીતિમાં કર્યું તે જૈનઆચાર્યોએ ધર્મના ક્ષેત્રમાં કર્યું. એમની સંવિભાગી દૃષ્ટિકોણનું પ્રાણતત્ત્વ હતું કે બધાને નાનામાં નાની વ્યક્તિને ન્યાય મળે. તેરાપંથની સંઘીય પરંપરા છે કે એક બાજુ વિદ્વાન સાધુ છે અને એક તરફ નવદીક્ષિત સાધુ છે. ભિક્ષામાં એક રોટલો મળ્યો તો એના બે સરખા ભાગ થશે. એમ નહીં કે વિદ્વાન અગર પ્રખર પ્રતિભાશાળીને વધુ અને બીજાને ઓછું. એવી જ રીતે બધી જ વસ્તુમાં. આ સંસ્કાર તેરાપંથ સંઘમાં દરેકના હૃદયમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાનધારા જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ ૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy