SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ મારું તો આવી જ બન્યું. આપણે વિદ્વાન નહીં એટલે મર્યાદાવાળા રહ્યાં એટલે મુંઝવણ તો થાય જ! એ પૂર્ણ ધાર્મિક શિબિર હતી અને તેમાં મારી પાસે પ્રશ્નો આવ્યા. ઘરમાં વહુ સાથે બનતું નથી તો શું કરું? છોકરા માનતા નથી તો શું કરું? બીજા ઘરના લોકો ગાંઠતા નથી તો શું કરું? આપણે આધ્યાત્મિકતાની વાત તો કરીએ છીએ, પણ વાસ્તવિકતાને છેહ દીધો છે. લોકોના જીવન જોઈએ તો ખ્યાલ આવે કે, “હર લિયા હે કિસીને સીતા કો, જિંદગી છે કે રામકા વનવાસ હૈ!' આ રામના વનવાસ જેવું જીવન આપણે જીવીએ છીએ. બીજી વાત, સાહિત્યની.. સાહિત્ય તો થોકબંધ પ્રગટ થાય છે, પણ તેની ભાષાનો તો કોક દિવસ વિચાર કરવા જેવો છે. એ ભાષાની માવજત આજના યુવાનને સ્પર્શે એવી હોવી જોઈએ! આ બહુ જરૂરી છે. ત્રીજી વાત, જૈન સમાજે ભ્રામક માન્યતાઓમાંથી બહાર આવવાની જરૂર છે! અને એમાં સૌથી મોટી વાત એટલે પૈસાની પુણ્ય સાથેની ગોઠવણ....! જો આમાંથી બહાર નહીં આવીએ તો... આ તો સારું છે કે આજે અહીં બધા વિદ્વાનો બેઠાં છે. નહીં તો Generally એવા જ લોકો હોય જે અત્યંત સુખી હોય... અને પ્રેમસુમન જેવાં પાછળ બેઠાં હોય...! કહેવાની વાત કે શા માટે આપણે ધનનો આટલો મહિમા કરીએ છીએ? આપણાં બાળકોને થાય શા માટે વિદ્વાન થવું? જો ધનવાન થઈએ તો અહીંયા આદર મળે છે અને વિદ્વાન થઈએ તો છેલ્લી પાટલી ઉપર બેસવાનું થાય..!! એટલે મારે એ જ કહેવું છે કે, આપણે સાહિત્યની ગરિમા કરવી જોઈએ. હમણાં એક “બહોદધિ” નામનું મેગેઝીન જોયું કે આખું જ્યોતિષીની વાતોથી જ ભરેલું હતું. મને જ્યોતિષીને જોઈ બહુ આનંદ આવે છે. જ્ઞાનધારા (૨૦૯) (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy