SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષ પુરુષાર્થથી નિરપેક્ષ. ભારતની સનાતન સંસ્કૃતિ નિર્દિષ્ટ ધર્મ-મોક્ષ પુરૂષાર્થને પ્રધાનતા આપવી અત્યંત જરૂરી છે. તો જ ઉપભોગવાદને નાથી શકાશે. પ્રકૃતિ ઉપભોગ્ય નહીં, ઉપાસિતવ્ય છે. આ વિજ્ઞાન જેટલું વહેલું સમજીને જીવાય તેમાં જ માનવજાતિનું કલ્યાણ છે. ૬) વિજ્ઞાન-અધ્યાત્મ બંને જગતને એક ધરી ઉપર લાવવા જરૂરી છે ઃ વિજ્ઞાન-કોઈ થોડા ચૂંટેલા દેશો કે પ્રજાની સુખાકારી માટે નહીં પરંતુ વિશ્વની તમામ પ્રજા સુધી તેના લાભ પહોંચે તેમ કરે, તો જ તેની સાર્થકતા છે. વિજ્ઞાન વિશ્વની તમામ પ્રજાની સેવા માટે છે નહીં કે થોડા દેશો કે તેની પ્રજા માટે. વિજ્ઞાનમાં સાચા અર્થમાં સામ્યવાદ લાવવાની જરૂરત છે. માનવજીવનનું લક્ષ્ય પૃથ્વી ઉપર જ દિવ્ય જીવન પ્રસ્થાપિત કરવાનું છે. ૨૧મી સદી અધ્યાત્મની સદી બની રહે તે જોવાની આપણા સહુની ફરજ છે. ૭) પૃથ્વી સમગ્ર માનવજાતનું ઘર (આગાર) છે ઃ સાચું વૈશ્વીકરણ તો માનવજાત પૃથ્વી ઉપર ગમે ત્યાં જઈ શકે, વસે અને શાંતિથી જીવે તે છે. વર્તમાન ભૌગોલિક રાષ્ટ્રોની સીમા, માનવકૃત છે પ્રભુદત્ત નથી. આ સીમામાં રહેતી પ્રજા, અન્ય પ્રજાને પોતાના દેશમાં આવવા જ ન આપે તો તેવું માત્ર બજારનું વૈશ્વીકરણ શા કામનું જ્યારે માનવજાતનું સીમારહિત Borderless આવનજાવન થાય ત્યારે જ પૃથ્વીની સંપત્તિ સહુને સુખી કરી શકશે. There should be no restrictions on human habitation in the Globe. જ્ઞાનધારા Jain Education International ૨૦૦ F Éo For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy