SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કે યુવાનોને ધર્માભિમુખ કરવા છે. તેમાં – પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (જાણીતા સાહિત્યકાર જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિંતક, ગુજરાત, સમગ્ર ભારત અને વિદેશના અનેક ગૌરવવંતા પારિતોષિક એવોર્ડ જેમને પ્રાપ્ત થયાં છે.શિક્ષણ સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલ કાર્ય માટે ભારત સરકાર તરફથી ડૉ. કુમારપાળ દેસાઈને પદ્મશ્રીનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે અને તેઓશ્રી જિનશાસનનું ગૌરવ વધારનાર મૂલ્યનિષ્ઠ સાહિત્યકાર છે.) માથા ઉપર સુનામીની ઘટનાનો ઓથાર છે. અત્યારે મગજમાં, ચિત્તમાં એ જ વિષાદની વેદના છે. જીવન તો કદાચ આવી કેટલીય વેદનાઓથી ભરેલું હોય છે. એવી એક વેદનાનું આજે મને સ્મરણ થાય છે. એ સમયે હું હ્યુસ્ટનમાં એક જૈન શ્રાવકને ત્યાં હતો. શ્રાવકની પુત્રી સ્મિતા એક છોકરાને લઈને આવી અને તેની મમ્મીને કહ્યું, “મમ્મી! હું આ રસુલ સાથે લગ્ન કરવાની છું.” એની મમ્મીને માથે તે ક્ષણે જાણે આખું આકાશ એક સાથે તૂટી પડ્યું. એના પિતાને તો જાણે આખી ઈમારત કડડભૂસ થઈ ભસ્મીભૂત થઈ ગઈ ! મા ઉછળી, ગુસ્સે થઈ, અકળાઈ, મુંઝાઈ અને રડવા લાગી. આંખમાંથી આંસુ સરવા લાગ્યા, પણ પેલી છોકરીએ કહ્યું, “ના! હું આ રસુલ સાથે જ લગ્ન કરીશ!!! મા એ કહ્યું, કંઈક તો વિચાર કર! આપણે કોણ છીએ? દીકરીએ કહ્યું, આપણે પણ માણસ છીએ અને આ પણ માણસ છે જ્ઞાનધારા ૨૦૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy